Gujarat Plus
Breaking News
ખેડૂતગુજરાત

અરવલ્લી જિલ્લામા માવઠાનો કાળો કહેર”

ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાવાના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ચિંતાનો માહોલ સર્જાયો છે. અરવલી જિલ્લામા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છિનવાય ગયો છે. ભર ઉનાળે પડેલા માવઠા એ ખેડૂતોની કમર ભાગી નાખી છે, અરવલ્લી જિલ્લામા જ્યારે ઘઉનો પાક લણની તૈયારીઓમાં હોય ત્યારે માવઠું પડવાથી ખેડૂતોની કમર ભાગી ગઈ છે. અરવલ્લી જીલ્લાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડ્યો છે. માવઠાને લીધે ઘઉના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ તૈયાર કરેલ પાક પર પણ પાણી ફરી વળ્યું છે,ખાસ કરીને મેઘરજ પંથકમા ગઈ કાલે પડેલા માવઠાએ ખેડૂતોની કમર ભાગી નાખી છે. ભર ઉનાળે પળેલા માવઠાના લીધે ખેડૂતોના જીવ તાડવે ચોંટાડયા છે.

કમોસમી વરસાદથી પાકને નુકસાન –
અરવલ્લી જિલ્લામા મેઘરજ પંથકમાં પડેલા વરસાદે ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને વાવાઝોડાના લીધે ઘઉનો ઊભો પાક પળીને પલળી ગયો છે.જેને લઈ પાક નુકસાન સાથે ભાવમા ઘટાડો પણ આવી શકે છે. ખાસ કરીને વાસણા, સિસોદર, કંભોરડા, જેવા ગામોને પાકમા વ્યાપક નુકસાન થયું છે. રાજયમાં અલગ અલગ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે,

સંબંધિત પોસ્ટ્સ

હોળી અને રમજાનના પગલે પોલીસનું ફૂટ પેટ્રોલીંગ:તહેવોરામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા રાત્રિના સમયે પોલીસના ધાડા ઉતર્યા, ડ્રોનથી ચેકિંગ

aminparmar

વિશ્વઉમિયાધામ ખાતે સારસ્વત પરિષદમાં સનાતન ધર્મના વૈજ્ઞાનિક રિસર્ચ અંગે ચર્ચા થઈ

ANIL PATEL

સ્માર્ટ મીટર તો લગાડીને જ રહીશું” ઉર્જા મંત્રીના આવા નિવેદન પર AAP નેતા ઈસુદાન ગઢવીનો વળતો પ્રહાર

ANIL PATEL