ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ સર્જાવાના કારણે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને ચિંતાનો માહોલ સર્જાયો છે. અરવલી જિલ્લામા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છિનવાય ગયો છે. ભર ઉનાળે પડેલા માવઠા એ ખેડૂતોની કમર ભાગી નાખી છે, અરવલ્લી જિલ્લામા જ્યારે ઘઉનો પાક લણની તૈયારીઓમાં હોય ત્યારે માવઠું પડવાથી ખેડૂતોની કમર ભાગી ગઈ છે. અરવલ્લી જીલ્લાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવો પડ્યો છે. માવઠાને લીધે ઘઉના પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. ખેડૂતોએ તૈયાર કરેલ પાક પર પણ પાણી ફરી વળ્યું છે,ખાસ કરીને મેઘરજ પંથકમા ગઈ કાલે પડેલા માવઠાએ ખેડૂતોની કમર ભાગી નાખી છે. ભર ઉનાળે પળેલા માવઠાના લીધે ખેડૂતોના જીવ તાડવે ચોંટાડયા છે.
કમોસમી વરસાદથી પાકને નુકસાન –
અરવલ્લી જિલ્લામા મેઘરજ પંથકમાં પડેલા વરસાદે ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. ખાસ કરીને વાવાઝોડાના લીધે ઘઉનો ઊભો પાક પળીને પલળી ગયો છે.જેને લઈ પાક નુકસાન સાથે ભાવમા ઘટાડો પણ આવી શકે છે. ખાસ કરીને વાસણા, સિસોદર, કંભોરડા, જેવા ગામોને પાકમા વ્યાપક નુકસાન થયું છે. રાજયમાં અલગ અલગ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે,
