એક સમય હતો જ્યારે બોલિવૂડમાં માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને સંજય દત્ત (Sanjay Dutt) ના અફેરના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા હતા. બંને એકબીજાના પ્રેમમાં હતા અને લગ્ન કરવાનું વિચારી રહ્યા હતા. પરંતુ અચાનક તેમના અલગ થવાના સમાચાર આવ્યા અને ફેન્સના દિલ તૂટી ગયા.
રિપોર્ટ્સ મુજબ, ‘થાણેદાર’ અને ‘સાજન’ જેવી ફિલ્મોના શૂટિંગ દરમિયાન બંને નજીક આવ્યા હતા. પરંતુ સંજય દત્તની અંગત જિંદગીની સ્થિતિ બદલાતા આ નિકટતા અંતરમાં ફેરવાઈ ગઈ.
શા માટે અલગ થયા માધુરી અને સંજય દત્ત?
સિનિયર જર્નાલિસ્ટ જ્યોતિ વેંકટેશે માધુરી અને સંજયના સંબંધો અંગે એક ઈન્ટરવ્યુમાં મહત્વ ખુલાસા કર્યા છે. સિદ્ધાર્થ કનનના પોડકાસ્ટમાં તેમણે જણાવ્યું કે, સંજય અને માધુરી એકબીજાની ખૂબ નજીક હતા અને રોમેન્ટિક રિલેશનશિપમાં હતા.
પરંતુ સમય જતાં સંજય દત્તમાં બદલાવ આવ્યો:
-
લગ્ન માટે કમિટમેન્ટ ન મળવું: માધુરી સંજય સાથે લગ્ન કરવા માટે ગંભીર હતી, પરંતુ સંજય દત્ત કમિટમેન્ટ આપવા તૈયાર નહોતા. તેઓ એ સમયે લગ્ન કરવા માંગતા નહોતા.
-
TADA કેસ: જ્યારે જર્નાલિસ્ટને પૂછવામાં આવ્યું કે શું TADA કેસના કારણે માધુરી અલગ થઈ ગઈ? ત્યારે તેમણે જણાવ્યું કે, આ પણ એક કારણ હતું. માધુરી સંજય માટે સીરિયસ હતી, પણ સંજય લગ્ન માટે રાજી નહોતા. આ દરમિયાન TADA કેસ થયો અને તેમને અલગ થવાનો મોકો મળી ગયો.
સંબંધ તૂટ્યા પછી બંને આગળ વધ્યા
આ અધૂરી પ્રેમકહાની બાદ બંનેએ પોતપોતાની જિંદગીમાં આગળ વધવાનો નિર્ણય લીધો:
-
માધુરી દીક્ષિત: તેમણે બાદમાં ડો. શ્રીરામ નેને સાથે લગ્ન કર્યા અને અમેરિકા શિફ્ટ થઈને નવી જિંદગીની શરૂઆત કરી.
-
સંજય દત્ત: તેમણે આગળ જઈને માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા અને પોતાના પરિવાર સાથે સેટલ થયા.
90ના દાયકાની આ અધૂરી લવ સ્ટોરી આજે પણ બોલિવૂડની સૌથી વધુ ચર્ચિત પ્રેમકહાનીઓમાં ગણાય છે.
