રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં જેટકો કંપનીએ દાદાગીરી કરીને વીજળીની લાઈનો નાખી, વળતર આપ્યું નહીં: ગોપાલ ઇટાલીયા
પોલીસને લાવીને ગુંડાગર્દી કરીને ખેડૂતની પરમિશન વગર ખેતરમાં લાઈનો નાખવામાં આવી, જેથી ખેડૂતને આઘાત લાગતા થયું મોત: ગોપાલ ઇટાલીયા
ગુજરાતમાં ભાજપ સરકારે દાદાગીરી કરીને ગમે ત્યાંથી લાઈન નાખવાનું કામ શરૂ કર્યું છે: ગોપાલ ઇટાલીયા
ભાજપ સરકાર, સરકારી કર્મચારીઓ અને કંપનીઓએ ગેંગ બનાવીને ગુજરાતના 800 ગામડાઓને ચૂંથી નાખ્યા: ગોપાલ ઇટાલીયા
કચ્છ, મોરબી, રાજકોટ, પાટણ અને મહેસાણામાં બેફામપણે વીજળીની લાઈનો નાખવામાં આવી રહી છે: ગોપાલ ઇટાલીયા
ખેતરની વચ્ચેથી લાઈન કાઢવામાં આવે છે, જેથી ખેડૂતને આજીવન નુકસાન થાય છે: ગોપાલ ઇટાલીયા
કંપનીને જો લાઈન નાખવી હોય તો ખેડૂત પાસેથી જમીન ખરીદીને લાઈનો નાખે: ગોપાલ ઇટાલીયા
કલેક્ટરોને મારી વિનંતી કે તમે તમારા ધાબા પર થાંભલા નખાવો: ગોપાલ ઇટાલીયા
વીજળી આપવી હોય તો ખેડૂતોને પહેલા હક આપો: ગોપાલ ઇટાલીયા
સરકારી જમીન પર થાંભલા કેમ નાંખવામાં આવતા નથી?: ગોપાલ ઇટાલીયા
AAP ભાજપની દાદાગીરી સામે લડે છે અને ગુજરાતના તમામ ખેડૂતો પણ એકજૂટ થઈને આ બાબતે વિરોધ કરે: ગોપાલ ઇટાલીયા
હવે જ્યાં પણ કોઈ થાંભલો નાખવા આવે ત્યાં આખું ગામ એકજૂટ થઈ વિરોધ કરે: ગોપાલ ઇટાલીયા







