Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

PM મોદીના લોકાર્પણ પહેલા પચપદરા રિફાઇનરીમાં ભીષણ આગ, આકાશમાં ધુમાડાના ગોટેગોટા

PM મોદીના લોકાર્પણ પહેલા પચપદરા રિફાઇનરીમાં ભીષણ આગ,

રાજસ્થાનના બાલોતરામાં આવેલી પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના હતા, તે પહેલા જ આગ ફાટી નીકળી છે.

પચપદરા પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી

રાજસ્થાનના બાલોતરા જિલ્લાની પચપદરા રિફાઇનરીમાં આજે અચાનક આગ લાગી હતી. આ આગ રિફાઇનરીના એક યુનિટમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે રિફાઇનરી પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.

આવતીકાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ

નોંધનીય છે કે, ૨૧ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ રિફાઇનરીનું લોકાર્પણ થવાનું હતું. ઉદ્ઘાટનના માત્ર ૨૪ કલાક પહેલા જ આ દુર્ઘટના સર્જાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ રિફાઇનરી ભારતની સૌથી આધુનિક રિફાઇનરીઓમાંની એક ગણાય છે.

રાહત અને બચાવ કામગીરી શરૂ

  • ઘટનાની જાણ થતા જ ફાયર સેફ્ટી સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે.

  • ફાયર ફાઇટરોની અનેક ટીમો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે.

  • હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

  • સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાત ભાજપે પાર્લામેન્ટ્રી બોર્ડની કરી જાહેરાત, જાણો કયા વરિષ્ઠ નેતાઓને મળ્યું સ્થાન?

praxpatel

ધોરણ 5માં ભણતી બાળકીને હાર્ટએટેક આવતા મોત

aminparmar

Video/ સંજય દત્તને પાકિસ્તાની ફેને આપી અદભૂત ભેટ: સોનાની પરત ચઢાવેલો iPhone 17 કર્યો ગિફ્ટ, ફોન પાછળની તસવીરે જીત્યા દિલ

praxpatel