રાજસ્થાનના બાલોતરામાં આવેલી પચપદરા ઓઇલ રિફાઇનરીમાં આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવાના હતા, તે પહેલા જ આગ ફાટી નીકળી છે.
પચપદરા પ્લાન્ટમાં અચાનક આગ ફાટી નીકળી
રાજસ્થાનના બાલોતરા જિલ્લાની પચપદરા રિફાઇનરીમાં આજે અચાનક આગ લાગી હતી. આ આગ રિફાઇનરીના એક યુનિટમાં લાગી હોવાનું જાણવા મળ્યું છે. આગ એટલી વિકરાળ હતી કે તેના કાળા ધુમાડા દૂર-દૂર સુધી જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે રિફાઇનરી પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતી.
આવતીકાલે PM મોદી કરવાના હતા લોકાર્પણ
નોંધનીય છે કે, ૨૧ એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ રિફાઇનરીનું લોકાર્પણ થવાનું હતું. ઉદ્ઘાટનના માત્ર ૨૪ કલાક પહેલા જ આ દુર્ઘટના સર્જાતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ રિફાઇનરી ભારતની સૌથી આધુનિક રિફાઇનરીઓમાંની એક ગણાય છે.
Pachpadra refinery balotra fire incident 😨😨😨 pic.twitter.com/9lP5WjSuNS
— bendit of keteria✝️ (@NJunjha) April 20, 2026
#WATCH | Rajasthan: Fire broke out at Refinery-cum-Petrochemical Complex at Pachpadra in Balotra. Firefighters have arrived at the refinery to control the fire. pic.twitter.com/Hx6ZvMg3cR
— ANI (@ANI) April 20, 2026
રાહત અને બચાવ કામગીરી શરૂ
-
ઘટનાની જાણ થતા જ ફાયર સેફ્ટી સિસ્ટમ એક્ટિવ કરવામાં આવી છે.
-
ફાયર ફાઇટરોની અનેક ટીમો આગ પર કાબૂ મેળવવા પ્રયાસ કરી રહી છે.
-
હજુ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.
-
સુરક્ષા એજન્સીઓ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે.
