પશ્ચિમ બંગાળના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. TMC સાંસદ મહુઆ મોઈત્રાએ આઝાદીની લડત મુદ્દે ‘બંગાળી વિરુદ્ધ ગુજરાતી’ નો વિવાદ છેડ્યો છે. અમિત શાહના બંગાળ પ્રવાસ બાદ આપેલા આ નિવેદનથી સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.
શું કહ્યું મહુઆ મોઈત્રાએ?
એક ન્યૂઝ કોન્ફરન્સમાં મહુઆ મોઈત્રાએ બંગાળી ગૌરવની વાત કરતા સીધો પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું:
-
“જ્યારે અમે અંગ્રેજો સામે લડતા હતા, ત્યારે ગુજરાતીઓ કોણ હતા?”
-
તેમનો દાવો છે કે કાલાપાણીની જેલમાં 68% બંગાળીઓ અને પછી પંજાબીઓ હતા.
-
તેમણે પડકાર ફેંક્યો કે, “ત્યાં હાજર હોય તેવા કોઈ એક ગુજરાતીનું નામ આપો.”
વીર સાવરકર મુદ્દે પણ ટ્રોલ થયા
મહુઆ મોઈત્રાએ પોતાના નિવેદનમાં વીર સાવરકરને ‘ગુજરાતી’ ગણાવ્યા હતા. જોકે, હકીકતમાં સાવરકર મરાઠી હતા. આ ભૂલ બદલ નેટિઝન્સે તેમને સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રોલ કર્યા છે.
સોશિયલ મીડિયા પર જડબાતોડ જવાબ
યુઝર્સે મહુઆ મોઈત્રાને યાદ અપાવ્યું કે ભારતની આઝાદીમાં ગુજરાતનું યોગદાન અતુલ્ય છે. લોકોએ પૂછ્યું:
-
શું તમે મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલને ભૂલી ગયા?
-
દાદાભાઈ નૌરોજી, શ્યામજી કૃષ્ણ વર્મા અને મેડમ ભીખાઈજી કામા જેવા ક્રાંતિકારીઓ પણ ગુજરાતી જ હતા.
-
લોકોએ 30થી વધુ ગુજરાતી સ્વાતંત્ર્ય સેનાનીઓની યાદી શેર કરી સાંસદને અરીસો બતાવ્યો છે.
પ્રાદેશિક નફરત ફેલાવવાનો આરોપ
લોકોના મતે આઝાદી એ આખા દેશનો સંયુક્ત પ્રયાસ હતો. રાજકીય ફાયદા માટે બંગાળ વિરુદ્ધ ગુજરાતનો વિવાદ ઊભો કરવો એ દેશની એકતા માટે જોખમી છે. અમિત શાહ પર પ્રહાર કરતા મહુઆએ એમ પણ કહ્યું કે ભાજપ બંગાળીઓનું અપમાન કરી રહી છે.
