Gujarat Plus
Breaking News
ખેડૂત આંદોલનગુજરાત

વીજ કંપનીઓની જોહુકમી અને દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં!

સરકાર અને કંપનીઓ સાથે મળીને કંપનીઓના ફાયદાઓ માટે કાયદાઓનો દૂર ઉપયોગ કરતા હોવાના આક્ષેપ ખેડૂત આગેવાન પાલ ભાઇ આંબલિયાએ કર્યો છે, તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે કલેક્ટર નોટિસ આપે અલગ કાયદાથી અને વળતર નક્કી કરે અલગ પરિપત્રોથી આવું કેમ?

ખેડૂતોની બહુ સ્પષ્ટ માંગ જમીન સંપાદન કાયદો – 2013 મુજબ માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપો તેવા માંગ સાથે ખેડૂતો મોરબી કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા, ખેડૂતોએ આરોપ લગાવ્યો છેકે કંપની ધંધો કરે છે ને એના ધંધા માટે અમારી મિલકતનો ઉપયોગ કેવીરીતે કરી શકે?

મિલકત ધારણ કરવાનો અધિકાર બહુ સ્પષ્ટ છે કે ધંધા માટે બીજાની મિલકતનો ઉપયોગ કરવો હોય તો તેને ભાડું આપવું પડેવીજ લાઇન આવવાથી જમીનની કિંમત 50% ઓછી થઈ જાય છે તો ઘટતી કિંમતને વળતરમાં ગણવામાં આવે

વીજ નીકળે એટલે ખેતર બિન ખેતી ન થઈ શકે આ કિંમતના ઘટાળાને વળતરમાં ગણવામાં આવે, વીજ પોલદીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે.

સંબંધિત પોસ્ટ્સ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: અમદાવાદ વેસ્ટમાં ડૉ. જ્વેલ વસરાની આગેવાનીમાં AAPની પસંદગી પ્રક્રિયા

praxpatel

ગુજરાત પોલીસમાં મોટા ફેરફાર: DySP કક્ષાના 35 અધિકારીઓને સોંપાઈ વધારાની જવાબદારી, ગૃહ વિભાગનું જાહેરનામું

praxpatel

ભાવનગરમાં હાઈવોલ્ટેજ ડ્રામા: કોંગ્રેસમાં જોડાયાના માત્ર 3 કલાકમાં જ પૂર્વ કોર્પોરેટરની ભાજપમાં ‘ઘરવાપસી’

praxpatel