ભાવનગરમાં બીમાર ગાયોની સારવાર કરતા ગૌસેવકો સામે પોલીસ ફરિયાદ દાખલ થવાના વિરોધમાં ગૌશાળાઓ અને ગૌસેવકો હડતાલ પર ઉતર્યા છે. સ્વબચાવ માટે ગૌશાળાઓએ નવી ગાયો અને પશુઓને આશ્રય આપવાનું બંધ કરી દીધું છે, જેના પરિણામે ભાવનગર જિલ્લામાં ૩૫૦થી વધુ નિરાધાર અને બીમાર ગાયોની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાવડી, શોભાવડ અને રાજપરા (ઠા.) ગામના સરપંચોએ ભાવનગર કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક ઉકેલ લાવવા માગ કરી છે.
૧૪ ગૌવંશના મોતથી જીવદયાપ્રેમીઓમાં રોષ
ગૌશાળાઓ બંધ હોવાના કારણે રસ્તા પર અકસ્માતનો ભોગ બનેલી કે બીમાર પડેલી ગાયોને સમયસર આશ્રય કે સારવાર મળી રહી નથી. યોગ્ય સારવારના અભાવે અત્યાર સુધીમાં ૧૪ ગૌવંશના મૃત્યુ થયા છે, જેને પગલે જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ છે.
આ ઉપરાંત રસ્તા પર રખડતા બીમાર પશુઓના કારણે ટ્રાફિકની સમસ્યા અને અન્ય વાહનચાલકો માટે અકસ્માતનું જોખમ પણ વધી ગયું છે.
સરપંચોની કલેક્ટર સમક્ષ મુખ્ય માગણીઓ
ગૌસેવકો અને સંચાલકોનું કહેવું છે કે જ્યાં સુધી તેમની સુરક્ષા અને સન્માન જાળવવામાં નહીં આવે ત્યાં સુધી નવા પશુઓને સ્વીકારવા શક્ય નથી. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર આ મૂકપશુઓના જીવ બચાવવા માટે કેટલા ઝડપી પગલાં લે છે.
