FSSAI: ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને હેલ્થ સપ્લિમેન્ટ્સના નામે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ખોટા પ્રચાર સામે ‘ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા’ (FSSAI)એ કડક વલણ અપનાવ્યું છે. કોઈપણ પ્રોડક્ટની ગુણવત્તા કે વૈજ્ઞાનિક સત્યતા ચકાસ્યા વિના રોગપ્રતિકારક શક્તિ (ઈમ્યુનિટી) વધારવા કે ચમત્કારિક ફાયદાના ખોટા દાવા કરી પ્રચાર કરતા સેલેબ્રિટીઝ અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ સામે હવે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.
FSSAI દ્વારા આપવામાં આવેલી મુખ્ય સૂચનાઓ
-
ચકાસણી વિના પ્રચાર પર પ્રતિબંધ: સેલેબ્રિટીઝ કે ડિજિટલ ક્રિએટર્સે કોઈપણ પ્રોડક્ટનું એન્ડોર્સમેન્ટ (પ્રમોશન) કરતાં પહેલાં એ સુનિશ્ચિત કરવું પડશે કે કંપની દ્વારા કરવામાં આવતા દાવા વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલા છે કે નહીં.
-
નૈતિક અને કાનૂની જવાબદારી: FSSAIએ સ્પષ્ટ કર્યું કે લોકો સેલેબ્સ અને ઈન્ફ્લુએન્સર્સ પર વિશ્વાસ મૂકીને પ્રોડક્ટ ખરીદતા હોય છે, જેથી ગ્રાહકોના વિશ્વાસ અને સ્વાસ્થ્ય સાથે રમત કરનારા પ્રચારકો પણ સીધા જવાબદાર ગણાશે.
-
અતિશયોક્તિભર્યા દાવાઓ પર રોક: પૂરતા વૈજ્ઞાનિક પુરાવા અને કાયદાકીય મંજૂરી વગર પ્રોટીન, એનર્જી કે ઈમ્યુનિટી વધારવાના કોઈપણ અતિશયોક્તિભર્યા દાવા જાહેરાતોમાં કરી શકાશે નહીં.
કાયદાકીય જોગવાઈ અને કાર્યવાહી
નાગરિકો ક્યાં કરી શકે છે ફરિયાદ?
FSSAI દ્વારા સામાન્ય જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે જો સોશિયલ મીડિયા કે ટીવી પર કોઈ પણ પ્રકારની ભ્રામક અને અપ્રમાણિત ફૂડ જાહેરાત ધ્યાને આવે, તો તુરંત જ સત્તાવાર ‘ફૂડ સેફ્ટી કનેક્ટ’ (Food Safety Connect) પોર્ટલ/એપ પર તેની ફરિયાદ નોંધાવવી.
