સુરત શહેરમાં ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહની વચ્ચે મુસાફરો માટે એક ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર એક મોટો નિર્ણય લીધો છે. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડાં થંભી જશે.
15મી જાન્યુઆરી એટલેકે વાસી ઉત્તરાયણના દિવસે પણ બસ સેવામાં આંશિક અસર જોવા મળશે. ઉત્તરાયણના દિવસે સિટી બસ સેવા માત્ર 30 ટકાની ક્ષમતા સાથે જ કાર્યરત રહેશે. વાસી ઉત્તરાયણના દિવસે 70 ટકા જેટલો કાપ મૂકવામાં આવશે.
