Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

હાટકેશ્વર સર્કલ પાસે પાઈપલાઈનમાં મોટું ભંગાણ, રહીશો ત્રાહિમામ્

અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. મળતી માહિતી મુજબ, હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન જેસીબી અથવા અન્ય મશીનરીના કારણે જમીનમાં રહેલી પાણીની લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી.

ત્રણ દિવસમાં બીજી વખત આ રીતે પાણીનો ફુવારો થયો છે. એક તરફછેવાડાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે લખો લીટર પીવાનું પાણી રોડ પર વહી જાય છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે AMC તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે.

સંબંધિત પોસ્ટ્સ

કાકાની ક્રૂરતા: ભત્રીજી પર દુષ્કર્મ આચરી પાપ છુપાવવા ખવડાવતો ગર્ભનિરોધક ગોળીઓ, રાજકોટની ઘટના

praxpatel

ચૈત્ર નવરાત્રી 2026: માં ચંદ્રઘંટાના આ શક્તિશાળી ઉપાયથી દુશ્મન પણ બનશે મિત્ર! જાણો વિધિ

praxpatel

અયોધ્યા રામ મંદિર માં કેટલા કરોડનું દાન આવ્યું? આંકડો અને ટેક્સની રકમ જાણીને ચોંકી જશો

praxpatel