Gujarat Plus
Breaking News
ખેડૂત આંદોલનગુજરાત

વીજ કંપનીઓની જોહુકમી અને દાદાગીરી સામે ખેડૂતો લડી લેવાના મૂડમાં!

સરકાર અને કંપનીઓ સાથે મળીને કંપનીઓના ફાયદાઓ માટે કાયદાઓનો દૂર ઉપયોગ કરતા હોવાના આક્ષેપ ખેડૂત આગેવાન પાલ ભાઇ આંબલિયાએ કર્યો છે, તેઓએ સવાલ ઉઠાવ્યો છે કે કલેક્ટર નોટિસ આપે અલગ કાયદાથી અને વળતર નક્કી કરે અલગ પરિપત્રોથી આવું કેમ?

ખેડૂતોની બહુ સ્પષ્ટ માંગ જમીન સંપાદન કાયદો – 2013 મુજબ માર્કેટ ભાવના ચાર ગણા વળતર આપો તેવા માંગ સાથે ખેડૂતો મોરબી કલેક્ટર કચેરીએ ઉમટી પડ્યા હતા, ખેડૂતોએ આરોપ લગાવ્યો છેકે કંપની ધંધો કરે છે ને એના ધંધા માટે અમારી મિલકતનો ઉપયોગ કેવીરીતે કરી શકે?

મિલકત ધારણ કરવાનો અધિકાર બહુ સ્પષ્ટ છે કે ધંધા માટે બીજાની મિલકતનો ઉપયોગ કરવો હોય તો તેને ભાડું આપવું પડેવીજ લાઇન આવવાથી જમીનની કિંમત 50% ઓછી થઈ જાય છે તો ઘટતી કિંમતને વળતરમાં ગણવામાં આવે

વીજ નીકળે એટલે ખેતર બિન ખેતી ન થઈ શકે આ કિંમતના ઘટાળાને વળતરમાં ગણવામાં આવે, વીજ પોલદીઠ ઓછામાં ઓછા 2 કરોડ રૂપિયા ખેડૂતોને આપવામાં આવે.

સંબંધિત પોસ્ટ્સ

પરષોત્તમ રૂપાલાની સમાજને ટકોર: ‘અંગપ્રદર્શન થાય એવા ડ્રેસ કોડ આપણા સમાજની શોભા નથી’

praxpatel

મંદિર-મસ્જિદની માઈક સિસ્ટમનો અવાજ પરિસર બહાર ના જવો જોઈએ: અમદાવાદ પોલીસ કમિશનરના નવા નિયમો

praxpatel

RTI એક્ટના 20 વર્ષ: હર્ષ સંઘવીના હસ્તે ‘માહિતીનો અધિકાર- બે દાયકાની સફર’ પુસ્તકનું વિમોચન

praxpatel