Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

‘વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો, તેમણે હિંસા નથી કરી’, GenZ ના મુદ્દા પર બોલ્યા રાહુલ ગાંધી

'વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો, તેમણે હિંસા નથી કરી', GenZ ના મુદ્દા પર બોલ્યા રાહુલ ગાંધી

વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ આજે (બુધવારે) GenZ ના મુદ્દા પર વાત કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. તેમણે હિંસા નથી કરી પરંતુ તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો. યુવાનોએ કશું ખોટું કર્યું નથી. મહિલા પ્રદર્શનકારીઓના ઘરે ગુંડાઓ મોકલવામાં આવ્યા. લોકશાહી માટે લડવા બદલ યુવાનોનો આભાર. જ્યારે રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ કરી ત્યારે તેમની સાથે કેટલાક GenZ પણ જોવા મળ્યા હતા, જેમણે દિલ્હીના જંતર-મંતર પર અને મુંબઈમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે મીડિયા સામે આવીને યુવાનોએ હિંમત દર્શાવી છે.

વિરોધ પ્રદર્શન કરનારા યુવાનો પર છે ગર્વ

વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ કહ્યું, ‘અમે કેટલાક યુવા પ્રદર્શનકારીઓ સાથે ખુલ્લીને વાતચીત કરી. તેમણે મને જણાવ્યું કે તેમની સાથે મારપીટ કરવામાં આવી, તેમને પીટવામાં આવ્યા અને ધમકાવવામાં આવ્યા. મને તેમના પર ખૂબ ગર્વ છે, તેમણે જે કર્યું છે તેના પર ખૂબ ગર્વ છે. એમની જેમ હજારો યુવા ભારતીયોએ જે કર્યું છે, તેના પર પણ મને ગર્વ છે.’

એજ્યુકેશન સિસ્ટમ અંગે ફરિયાદ કરવી એ કોઈ ગુનો નથી

રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે યુવાનોએ બંધારણનું રક્ષણ કર્યું છે, ભારતના વિચારોની રક્ષા કરી છે અને ભારતના ભવિષ્યને સુરક્ષિત કર્યું છે. એજ્યુકેશન સિસ્ટમ વિશે ફરિયાદ કરવી એ કોઈ ગુનો નથી, પછી ભલે તે સિસ્ટમ ખરાબ હોય, કડડભૂસ થઈ રહી હોય કે નકામી હોય. વાસ્તવમાં, આ સિસ્ટમને બદલવાની અને સુધારવાની જરૂર છે. તેઓ બસ આ જ તો માંગ કરી રહ્યા હતા.

“વિદ્યાર્થીઓ હિંસા કરી રહ્યા નહોતા, કે ન તો તેઓ આક્રમક થઈ રહ્યા હતા. છતાં તેમને પીટવામાં આવ્યા, તેમના પર હુમલો કરવામાં આવ્યો અને તેમને ધમકાવવામાં આવ્યા. તેમના પર દબાણ લાવવું, તેમના ઘરે ગુંડાઓ મોકલવા, જબરદસ્તીથી 15 વર્ષની એક છોકરી પાસે માફી મંગાવવી અને પછી તે માફી સ્વીકારી લેવી, આ બિલકુલ હાસ્યાસ્પદ છે.”

રાહુલ ગાંધી

હોવું જોઈએ દેશના ભવિષ્યનું સન્માન

રાહુલ ગાંધીએ આગળ ઉમેર્યું કે અમે તેને નકારીએ છીએ. આપણને એવી એજ્યુકેશન સિસ્ટમ જોઈએ છે જે યોગ્ય રીતે કામ કરે, અમે ઈચ્છીએ છીએ કે પરીક્ષાના પેપર લીક થવાનું બંધ થઈ જાય અને અમે ઈચ્છીએ છીએ કે આ દેશના ભવિષ્યનું સન્માન થાય, તેની સુરક્ષા થાય. જોકે, આ પહેલા મીડિયા સાથેની વાતચીત દરમિયાન, ઘાયલ પોલીસકર્મીઓના પરિજનોની પ્રેસ કોન્ફરન્સ સંબંધિત સવાલનો જવાબ આપવાનું રાહુલ ગાંધી ટાળતા જોવા મળ્યા હતા.


સંબંધિત પોસ્ટ્સ

મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણી: છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાછળ હટી, ઉદ્ધવ જૂથને આપ્યું સમર્થન

praxpatel

સિદ્ધારમૈયા અપડેટ: ‘હાઈકમાન્ડે રાજ્યસભા જવાનું કહ્યું, મેં ના પાડી’ – CM પદેથી રાજીનામું આપ્યા બાદ મોટું નિવેદન

praxpatel

રાજકોટમાં ગોંડલ-આટકોટ હાઈવે પર કાર પુલ નીચે ખાબકતાં અગનગોળો બની, 2ના કરુણ મોત

ANIL PATEL