લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી એ આજે આસામના કાર્બી આંગલોંગમાં એક જંગી ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ‘આસામ ફૂલોનો એક ગુલદસ્તો છે, જેમાં અલગ-અલગ ધર્મ, જાતિ અને વિચારધારાના લોકો સાથે રહે છે. કોંગ્રેસની વિચારધારા છે કે હિન્દુસ્તાનની જનતાના હાથમાં અસલી તાકાત હોય અને દેશ ચલાવવામાં દરેક વર્ગને ભાગીદારી મળે. બીજી તરફ ભાજપની વિચારધારા છે કે આસામને દિલ્હીથી ચલાવવામાં આવે. મારા મતે, અત્યારે આ જ લડાઈ ચાલી રહી છે.’
1. આસામના નિર્ણયો હવે દિલ્હીથી લેવાય છે
રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ આસામને દિલ્હીથી ચલાવવા માંગે છે.
-
કોંગ્રેસની વિચારધારા છે કે સત્તા જનતાના હાથમાં હોવી જોઈએ.
-
સ્થાનિક સ્તરે નિર્ણયો લેવાવા જોઈએ, ગુવાહાટી કે દિલ્હીથી નહીં.
-
અનુચ્છેદ 244A લાગુ કરવાનો ઉદ્દેશ્ય સ્થાનિક સ્વાયત્તતા આપવાનો હતો.
2. ભારત-અમેરિકા કરાર પર મોટો કટાક્ષ
ભારત અને અમેરિકા વચ્ચેના તાજેતરના સંબંધો પર બોલતા રાહુલે કહ્યું કે:
-
ભારતે રશિયા કે ઈરાન પાસેથી તેલ ખરીદવા માટે પણ અમેરિકાની મંજૂરી લેવી પડે છે.
-
પીએમ મોદીએ ભારતનો તમામ ‘ડેટા’ ડોનાલ્ડ ટ્રમ્પને સોંપી દીધો છે.
-
ટ્રમ્પ હવે પોતાની મરજી મુજબ ભારતીય ડેટાનો ઉપયોગ કરી શકે છે.
LIVE: Public Meeting | Jorhat, Assam https://t.co/NMZUEQ2XEU
— Rahul Gandhi (@RahulGandhi) April 2, 2026
3. 9 લાખ કરોડનો સામાન ખરીદવાનો સોદો
રાહુલ ગાંધીએ આર્થિક મુદ્દે સરકારને ઘેરતા જણાવ્યું કે:
-
ભારતે દર વર્ષે અમેરિકન કંપનીઓ પાસેથી 9 લાખ કરોડ રૂપિયાનો સામાન ખરીદવાનું વચન આપ્યું છે.
-
આનાથી ભારતના નાના ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગોને મોટું નુકસાન થશે.
-
ભારતે અમેરિકાને ઘણું આપ્યું, પણ બદલામાં કંઈ મળ્યું નથી.
4. ખેડૂતો અને જમીનનો મુદ્દો
વિપક્ષી નેતાએ આરોપ લગાવ્યો કે આસામના લોકોની જમીન છીનવી લેવામાં આવી રહી છે:
-
હજારો વીઘા જમીન અદાણી, અંબાણી અને પતંજલિ જેવી કંપનીઓને આપી દેવાઈ છે.
-
નવા કરારોને કારણે ભારતીય ખેતી અને ખેડૂતો પર ખરાબ અસર પડી રહી છે.
-
આ બધું જ દબાણ હેઠળ કરવામાં આવી રહ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો.
