મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસરો ભારત પર ન પડે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક્શન મોડમાં આવ્યા છે. આવતીકાલે સાંજે 6:30 વાગ્યે પીએમ મોદી દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક હાઈ-લેવલ બેઠક યોજશે.
મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવવાનું મુખ્ય કારણ શું?
વૈશ્વિક સ્તરે યુદ્ધના કારણે ઓઈલ અને ગેસના પુરવઠા પર સંકટ તોળાઈ રહ્યું છે. આ સ્થિતિમાં ભારતમાં ઉભી થનારી નીચેની સમસ્યાઓ પર ચર્ચા થશે:
-
પેટ્રોલ-ડીઝલની અફવા: દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં પેટ્રોલ પંપો પર લાગતી લાંબી કતારો અને અફવાઓ રોકવી.
-
સંગ્રહખોરી સામે લાલ આંખ: યુદ્ધની સ્થિતિનો ફાયદો ઉઠાવી કાળાબજાર કરતા તત્વો સામે કડક કાર્યવાહીની સૂચના.
-
ભાવ નિયંત્રણ: જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ વધતા અટકાવવા રાજ્યો સાથે તાલમેલ.
ચૂંટણી રાજ્યો માટે અલગ વ્યવસ્થા
જે રાજ્યોમાં અત્યારે ચૂંટણીને કારણે આચારસંહિતા (Model Code of Conduct) લાગુ છે, ત્યાંના મુખ્યમંત્રીઓ આ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં. તે રાજ્યો વતી મુખ્ય સચિવો કેબિનેટ સચિવાલય સાથે અલગથી સંપર્કમાં રહેશે.
વડાપ્રધાને અગાઉ સંસદમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે સરકાર પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના વપરાશને પ્રોત્સાહન આપી રહી છે જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.
