આપણે રોજ જે ખોરાક પોષણ સમજીને ખાઈએ છીએ, તે આપણી સેહત માટે ધીમું ઝેર સાબિત થઈ રહ્યો છે. લીલા શાકભાજી અને અનાજમાં વપરાતા ખતરનાક કેમિકલ્સ વિશે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે.
સરકારી દસ્તાવેજોમાં કડવી સચ્ચાઈ
કૃષિ મંત્રાલયના દસ્તાવેજો મુજબ, ખેતરોમાં છંટકાવ કરવામાં આવતા 27 હાનિકારક કેમિકલ્સના સુરક્ષિત અને જૈવિક વિકલ્પો દેશમાં ઉપલબ્ધ છે.
-
આ રસાયણો કેન્સર, ગર્ભમાં રહેલા શિશુને નુકસાન અને બાળકોના માનસિક વિકાસમાં અવરોધ ઊભો કરે છે.
-
વૈજ્ઞાનિકોની ચેતવણી છતાં 2023માં સરકારે માત્ર 3 રસાયણો (ડિકોફોલ, ડાઈનોકેપ અને મેથોમિલ) પર જ સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો.
-
બાકીના 24 અત્યંત ખતરનાક કેમિકલ્સ હજુ પણ બજારમાં વેચાઈ રહ્યા છે.
સસ્તા કેમિકલ્સ સામે મોંઘા જૈવિક વિકલ્પો
ખેડૂતો આ ઝેરી દવાઓ વાપરવા માટે મજબૂર છે.
-
50થી 100 વર્ષ જૂના જેનરિક કેમિકલ્સનો એકર દીઠ ખર્ચ માત્ર ₹150 થી ₹250 થાય છે.
-
જ્યારે સુરક્ષિત અને નવા જૈવિક વિકલ્પોનો ખર્ચ ₹800 થી ₹1500 સુધી પહોંચી જાય છે.
-
ભારતમા 85% થી વધુ નાના ખેડૂતો છે, જેઓ બજેટના અભાવે સસ્તા પણ ઝેરી કેમિકલ્સ પસંદ કરે છે.
વિશ્વમાં બેન, પણ ભારતમાં ખુલ્લેઆમ વેચાણ
ઘણા એવા કેમિકલ્સ છે જે દુનિયાના અનેક દેશોમાં પ્રતિબંધિત છે, પરંતુ ભારતમાં તેનો ઉપયોગ થઈ રહ્યો છે:
-
મોનોક્રોટોફોસ: 112 દેશોમાં બેન છે, છતાં ભારતમાં કપાસ અને અનાજ પર વપરાય છે.
-
ક્લોરપાયરીફોસ: બાળકોના મગજ માટે હાનિકારક છે, 31 દેશોમાં બેન છે.
-
કાર્બોફ્યુરાન: પક્ષીઓ અને મધમાખીઓ માટે કાળ સમાન છે, 63 દેશોમાં પ્રતિબંધિત છે.
-
ગ્લાયફોસેટ અને પેરાક્વાટ: કેન્સરકારી ખરપતવારનાશક દવાઓનો પણ બેધડક ઉપયોગ થઈ રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની મુશ્કેલી વધી
કેમિકલ્સના વધુ પડતા ઉપયોગના કારણે વિદેશોમાં ભારતીય કૃષિ ઉત્પાદનો પર રોક લગાવાઈ રહી છે.
-
યુરોપિયન યુનિયને કેમિકલ્સનું પ્રમાણ વધુ હોવાથી ભારતની કેરી, લીચી, ચોખા અને ચાની ખેપ પરત મોકલી છે.
-
ગુણવત્તાના કડક નિયમોના કારણે વિદેશી બજાર આ પાકો સ્વીકારતું નથી.
-
બીજી તરફ ભારતીય બજારમાં ઢીલી વ્યવસ્થાના કારણે આ ઝેરી ખોરાક સામાન્ય નાગરિકો સુધી પહોંચી રહ્યો છે.
જો સરકારે ખેડૂતોને સુરક્ષિત જૈવિક વિકલ્પો પર સબસીડી આપે, તો દેશના નાગરિકોને આ ધીમા ઝેરથી બચાવી શકાય તેમ છે.
