Gujarat Plus
Breaking News
તાજા સમાચારલાઈફ સ્ટાઇલ

ઘરમાં વારંવાર થઈ જાય છે કરોળિયાના જાળા? આ 5 રામબાણ ઉપાયોથી હંમેશા માટે મળશે છુટકારો

ઘરમાં વારંવાર થઈ જાય છે કરોળિયાના જાળા? આ 5 રામબાણ ઉપાયોથી હંમેશા માટે મળશે છુટકારો

અમદાવાદ: ઘરને સુંદર અને સ્વસ્થ રાખવા માટે આપણે દરરોજ સાફ-સફાઈ કરીએ છીએ. પરંતુ છત કે ખૂણાઓમાં બાઝતા કરોળિયાના જાળા (Spider Webs) ઘરના લુકને બગાડી દે છે. કરોળિયાના જાળા માત્ર દેખાવમાં ખરાબ નથી લાગતા, પણ સ્વાસ્થ્ય માટે પણ નુકસાનકારક છે. વાસ્તુશાસ્ત્ર મુજબ પણ ઘરમાં જાળા હોવા અશુભ માનવામાં આવે છે.

જો તમે પણ જાળા સાફ કરીને કંટાળી ગયા છો, તો આ સરળ ઘરેલું ટ્રિક્સ તમારા ખૂબ કામ આવશે.

કરોળિયાના જાળા દૂર કરવાની 5 બેસ્ટ રીત

1. ફુદીનાના તેલનો સ્પ્રે (Peppermint Oil) કરોળિયાને ફુદીનાની તીવ્ર ગંધ બિલકુલ પસંદ નથી હોતી. પાણીમાં ફુદીનાના તેલના થોડા ટીપાં નાખીને સ્પ્રે બોટલમાં ભરી લો. જ્યાં જાળા થતા હોય ત્યાં આનો છંટકાવ કરવાથી કરોળિયા ભાગી જશે અને ફરી જાળા નહીં બનાવે.

2. વિનેગર અને પાણીનું મિશ્રણ સફેદ વિનેગરમાં રહેલું એસિડિક એસિડ કરોળિયા માટે નેચરલ રિપેલન્ટનું કામ કરે છે. અડધા કપ વિનેગરમાં અડધો કપ પાણી ભેળવીને જાળાવાળી જગ્યાએ સ્પ્રે કરો. આ એક સસ્તો અને અસરકારક કુદરતી ઉપાય છે.

3. લીંબુ અથવા સંતરાની છાલ કરોળિયા સાઇટ્રસ (ખાટા) ફળોની ગંધથી દૂર ભાગે છે. બારીઓ, દરવાજા કે જે ખૂણામાં વધુ જાળા થતા હોય ત્યાં લીંબુ અથવા સંતરાની છાલ ઘસવી અથવા ત્યાં રાખી દેવી. આનાથી કરોળિયા તે જગ્યા છોડી દેશે.

4. કપૂરનો ઉપયોગ કપૂર માત્ર વાતાવરણને શુદ્ધ નથી કરતું, પણ જીવજંતુઓને દૂર રાખવામાં પણ મદદરૂપ છે. ઘરના ખૂણામાં કપૂર સળગાવવાથી અથવા તેની ગોળીઓ રાખવાથી કરોળિયા અને મચ્છર બંને દૂર ભાગી જાય છે.

5. નિયમિત સાફ-સફાઈ સૌથી અસરકારક રસ્તો એ છે કે ધૂળ જામવા ન દેવી. પંખાની ઉપર, કબાટની પાછળ અને છતના ખૂણાઓને અઠવાડિયામાં એકવાર ચોક્કસ સાફ કરો. જો ધૂળ નહીં હોય, તો કરોળિયાને જાળું બનાવવાની જગ્યા નહીં મળે.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં પણ UGCના વિરોધની આગ ભભૂકી, સવર્ણ સમાજ નારાજ, ભાજપને ફેંક્યો પડકાર

ANIL PATEL

નિયમો ભંગ કરનાર વાહન ચાલકો સામે થશે કાર્યવાહી

aminparmar

ગુજરાત : ‘પ્રેમ કરતાં પ્રેમલગ્ન કરવાં મુશ્કેલ’, લગ્નનોંધણીના સૂચિત સુધારા પર યુવતીઓ મત

aminparmar