Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

અયોધ્યા રામ મંદિર પરિસરમાં હવે 6 પેટા-મંદિરો પર લહેરાશે ધર્મ ધજા, જાણો કયા દેવી-દેવતાના છે આ મંદિર

અયોધ્યા રામ મંદિર પરિસરમાં હવે 6 પેટા-મંદિરો પર લહેરાશે ધર્મ ધજા,

અયોધ્યામાં મુખ્ય રામ મંદિરના શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મ ધજા લહેરાવી હતી. હવે રામ જન્મભૂમિ સંકુલમાં આવેલા અન્ય 6 મહત્વના પેટા-મંદિરોમાં પણ ધજા રોહણની વિધિ શરૂ કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા આ માટેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.

કયા 6 મંદિરોમાં ધજા લહેરાવવામાં આવશે?

ચંપત રાયે જણાવ્યું હતું કે, જે 6 મંદિરોમાં ધર્મ ધજા લહેરાવવામાં આવશે તેમાં નીચે મુજબના દેવી-દેવતાઓનો સમાવેશ થાય છે:

  1. સૂર્ય દેવ

  2. ભગવતી માતા

  3. શિવલિંગ (મહાદેવ)

  4. ગણપતિ દાદા

  5. શેષાવતાર

  6. હનુમાનજી

હનુમાન જયંતિ પર ખાસ મહોત્સવ

હનુમાનજીના મંદિરના શિખર પર આગામી 2 એપ્રિલ 2026 ના રોજ હનુમાન જયંતિના પવિત્ર અવસરે ધર્મ ધજા લહેરાવવામાં આવશે. આ સિવાયના અન્ય પાંચ મંદિરો માટે ધજા રોહણની વિધિ 22 માર્ચથી 31 માર્ચ દરમિયાન અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.

મર્યાદિત સંખ્યામાં સંતોની હાજરી

ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમોમાં કોઈ મોટી જનસભા યોજવામાં આવશે નહીં. દરેક વિધિમાં આશરે 50 સંતો અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા એન્જિનિયરો તેમજ મજૂરો સહિત કુલ 200 જેટલા લોકો જ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય શિખર પર ધજા લહેરાવવાની વિધિ 25 નવેમ્બર 2025ના રોજ વડાપ્રધાન મોદીએ સંપન્ન કરી હતી.


સંબંધિત પોસ્ટ્સ

પરષોત્તમ રૂપાલાની સમાજને ટકોર: ‘અંગપ્રદર્શન થાય એવા ડ્રેસ કોડ આપણા સમાજની શોભા નથી’

praxpatel

1.5 લાખ ભક્તો, 51 હજાર કિલો રંગો, 1 હજાર કિલો ફૂલ…: સાળંગપુર મંદિરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ

aminparmar

LSG ની ટેન્શન વધી: 21 કરોડનો આ ખેલાડી રન બનાવવાનું ભૂલ્યો, સતત ચોથી મેચમાં સુપર ફ્લોપ

praxpatel