અયોધ્યામાં મુખ્ય રામ મંદિરના શિખર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધર્મ ધજા લહેરાવી હતી. હવે રામ જન્મભૂમિ સંકુલમાં આવેલા અન્ય 6 મહત્વના પેટા-મંદિરોમાં પણ ધજા રોહણની વિધિ શરૂ કરવામાં આવશે. ટ્રસ્ટ દ્વારા આ માટેનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
કયા 6 મંદિરોમાં ધજા લહેરાવવામાં આવશે?
ચંપત રાયે જણાવ્યું હતું કે, જે 6 મંદિરોમાં ધર્મ ધજા લહેરાવવામાં આવશે તેમાં નીચે મુજબના દેવી-દેવતાઓનો સમાવેશ થાય છે:
-
સૂર્ય દેવ
-
ભગવતી માતા
-
શિવલિંગ (મહાદેવ)
-
ગણપતિ દાદા
-
શેષાવતાર
-
હનુમાનજી
હનુમાન જયંતિ પર ખાસ મહોત્સવ
હનુમાનજીના મંદિરના શિખર પર આગામી 2 એપ્રિલ 2026 ના રોજ હનુમાન જયંતિના પવિત્ર અવસરે ધર્મ ધજા લહેરાવવામાં આવશે. આ સિવાયના અન્ય પાંચ મંદિરો માટે ધજા રોહણની વિધિ 22 માર્ચથી 31 માર્ચ દરમિયાન અલગ-અલગ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે.
મર્યાદિત સંખ્યામાં સંતોની હાજરી
ટ્રસ્ટે સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યક્રમોમાં કોઈ મોટી જનસભા યોજવામાં આવશે નહીં. દરેક વિધિમાં આશરે 50 સંતો અને પ્રોજેક્ટ સાથે જોડાયેલા એન્જિનિયરો તેમજ મજૂરો સહિત કુલ 200 જેટલા લોકો જ હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય શિખર પર ધજા લહેરાવવાની વિધિ 25 નવેમ્બર 2025ના રોજ વડાપ્રધાન મોદીએ સંપન્ન કરી હતી.
