શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’ના મોહન ભાર્ગવના પાત્રથી પ્રેરિત થઈને અભિજીત દીપકે વિદેશની નોકરી છોડી ૧૫ ઓગસ્ટે મહારાષ્ટ્રના પોતાના વતન પરત ફર્યા છે. સોશિયલ મીડિયા પર સક્રિય રહેતા અભિજીત દીપકેએ ૧૫ ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં આવેલા પોતાના પૈતૃક ગામમાં કાયમી વાપસી કરી દેશસેવા કરવાનો નિર્ણય જાહેર કર્યો છે.
વાપસી પાછળનું મોટું કારણ:
-
‘સ્વદેશ’ ફિલ્મની અસર: અભિજીતે ખુલાસો કર્યો હતો કે મોટા પડદા પર શાહરૂખ ખાનની ફિલ્મ ‘સ્વદેશ’ જોયા બાદ તેમના મનમાં પોતાના ગામ અને દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રબળ ભાવના જાગી હતી. ફિલ્મના મુખ્ય પાત્ર ‘મોહન’ની જેમ જ તેઓ પણ માતૃભૂમિ તરફ ખેંચાઈ આવ્યા.
-
ગામના વિકાસમાં યોગદાન: વિદેશમાં આરામદાયક જીવનશૈલી હોવા છતાં, તેમણે પોતાના મૂળ વતન હિંગોલી પાછા ફરી સ્થાનિક સ્તરે વિકાસ કાર્યો અને સામાજિક બદલાવમાં સહયોગ આપવાનો સંકલ્પ લીધો છે.
-
સોશિયલ મીડિયા પર પ્રશંસા: તેમના આ નિર્ણય અને ભાવનાત્મક પોસ્ટને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ બિરદાવી રહ્યા છે અને તેમની આ સફરને રિયલ લાઈફ ‘સ્વદેશ’ સ્ટોરી ગણાવી રહ્યા છે.
