Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

‘જંતર-મંતર પર પંચર અને ચાવી બનાવનારા વધુ હતા’, વિદ્યાર્થી આંદોલન પર ભાજપ નેતા Ramesh Bidhuri નું વિવાદસ્પદ નિવેદન

'જંતર-મંતર પર પંચર અને ચાવી બનાવનારા વધુ હતા', વિદ્યાર્થી આંદોલન પર ભાજપ નેતા Ramesh Bidhuri નું વિવાદસ્પદ નિવેદન

ભાજપના નેતા અને પૂર્વ સાંસદ Ramesh Bidhuri એ જંતર-મંતર પર નીટ (NEET) પેપર લીક મામલે થયેલા વિદ્યાર્થીઓના પ્રદર્શનને લઈને એક મોટું અને વિવાદસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે આ આંદોલનમાં વિદ્યાર્થીઓ કરતા ‘પંચર અને ચાવી બનાવનારા’ લોકો વધુ હાજર હતા.

વિદ્યાર્થીઓ અને વડાપ્રધાનનો ઉલ્લેખ

બિધૂડીએ પ્રદર્શનકારો પર પ્રહાર કરતા કહ્યું કે ભારતનો કોઈ પુત્ર કે પુત્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ આવી ભાષાનો ઉપયોગ કરી શકે નહીં. ઉલ્લેખનીય છે કે ૩૧ જુલાઈના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર સંબોધન કરતા પ્રદર્શન દરમિયાન કથિત રીતે અયોગ્ય ભાષાનો ઉપયોગ કરનારા યુવાનોને માફ કરવાની વાત કહી હતી.

નીટ પેપર લીક વિવાદ અને રાજીનામું

નીટ પેપર લીકના મુદ્દે વિપક્ષ અને વિવિધ સંગઠનો સતત તત્કાલીન શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધનના રાજીનામાની માંગ કરી રહ્યા હતા.

જંતર-મંતર અને સંસદ માર્ચ દરમિયાન સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે અથડામણ પણ થઈ હતી. બાદમાં શિક્ષણ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ૪૭ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી.

સંબંધિત પોસ્ટ્સ

માતા દુર્ગાના નામ પરથી રાખો તમારી વહાલી દીકરીના આ ટ્રેન્ડી નામ, હંમેશા રહેશે માતાજીના આશીર્વાદ

praxpatel

જામનગરમાં ચાંદીપુરા વાયરસનો આતંક: બે શંકાસ્પદ કેસ, એક બાળકનું મોત થતાં આરોગ્ય તંત્ર એલર્ટ

praxpatel

અમેરિકા ના અનેક ફાઈટર જેટ્સ તોડી પાડ્યા! ઈરાનના દાવાથી વિશ્વ ચોંક્યું, જૉર્ડનને કરી ખાસ અપીલ

praxpatel