અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. મળતી માહિતી મુજબ, હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન જેસીબી અથવા અન્ય મશીનરીના કારણે જમીનમાં રહેલી પાણીની લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી.
ત્રણ દિવસમાં બીજી વખત આ રીતે પાણીનો ફુવારો થયો છે. એક તરફછેવાડાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે લખો લીટર પીવાનું પાણી રોડ પર વહી જાય છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે AMC તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે.
