Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

હાટકેશ્વર સર્કલ પાસે પાઈપલાઈનમાં મોટું ભંગાણ, રહીશો ત્રાહિમામ્

અમદાવાદના હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં મુખ્ય પાણીની પાઈપલાઈનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. મળતી માહિતી મુજબ, હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવાની કામગીરી ચાલી રહી છે, જે દરમિયાન જેસીબી અથવા અન્ય મશીનરીના કારણે જમીનમાં રહેલી પાણીની લાઈન ક્ષતિગ્રસ્ત થઈ હતી.

ત્રણ દિવસમાં બીજી વખત આ રીતે પાણીનો ફુવારો થયો છે. એક તરફછેવાડાના ગામડાઓમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે ત્યારે બીજી તરફ તંત્રની બેદરકારીના કારણે લખો લીટર પીવાનું પાણી રોડ પર વહી જાય છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે AMC તંત્રની ગંભીર બેદરકારીના કારણે આ ઘટના બની છે.

સંબંધિત પોસ્ટ્સ

હિજાબ વિવાદઃ CM નીતિશ સામે 3 રાજ્યોમાં FIR: ઔવેસીની પાર્ટીના નેતાની ખુલ્લી ધમકી, NDA નેતાઓનું સમર્થન; કહ્યું- ‘બરાબર કર્યું, આ ઈસ્લામિક દેશ નથી’

Gujarat Plus

સુરતમાં બે દિવસ BRTS ની સેવા થંભી જશે, સરકારે લીધો આ મોટો નિર્ણય…

Maheriya Nirali

અમદાવાદના ફતેવાડીમાં જાહેર રોડ પર ચાકુબાજીનો વીડિયો વાઈરલ, પોલીસ દોડતી થઈ

ANIL PATEL