ઇન્દોરનુ જલ કાંડ બધાને યાદ હશે, જેમાં સંખ્યાબંધ્ધ બાળકો અને લોકો એટલે ગુજરી ગયા કે ત્યાં નગર નિગમ શુદ્ધ પાણી ન આપી શક્યુ, પણ આ જ હાલ ગુજરાતના મેટ્રો સીટી અમદાવાદ હોય કે રાજ્યના પાટનગર ગાંધીનગર કે પછી નાના ગામડા ત્યાં પણ આવી જ હાલત છે, વાત સુરેન્દ્રનગરની કરીએ તો પીવાના પાણીની પાઈપલાઈનોમાં દુષિત પાણી વિતરણ કરવામાં આવતા રોગચાળાની સ્થિતિ ઉભી થઇ છે, 1 વર્ષમાં સૌથી વધુ માંદગીના કેસો ચાલુ મહિનામાં દાખલ થયા. તો 17 હજાર કેસોની સિવિલ હોસ્પિટલમાં OPD દાખલ થઈ.
દાળમિલ જુના જંકશન રતનપર સહિતના વિસ્તારોમાં પીવાના પાણીની પાઇપલાઇનમાં ડ્રેનેજનું પાણી મિક્સ થઇ ગયુ છે, કોલેરા ડાયરીયાના કેસો પણ વધ્યા છે.
