રાજયના સરહદી જિલ્લો ગણાતા એવા કચ્છ જીલ્લાના અબડાસામા વાતાવરણમા અચાનક પલટો આવ્યો છે,આ વાતાવરણના અચાનક પલટાએ ખેડૂતોની ચિંતામાં મસમોટો વધારો કર્યો છે. તૈયાર થયેલા પાકનો લણનીનો સમય આવતા જ્યારે આમ અચાનક હવામાનમા પલટો આવતા ખેડૂતોને પાક નુકસાન થવાની ભીતિ સેવાઇ રહી છે. અબડાસામા વિવિધ ગામોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો,જેને લઈને પાકને વ્યપક નુકસાન થયું છે . વરસાદની સાથે વવાઝોડાના કારણે પ્રતિ કલાક 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો. જેને લઈને ઉભો પાક રાગદોડી નખાયો હતો.
ઘઉના પાકને વ્યાપક નુકસાન ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાતાં ઘઉના પાકને વ્યાપક નુકસાન થયું છે, જયારે પાક લણની માટે તૈયાર થયેલા લણનિના પાકમાં વવાઝોડાના કારણે પાકને વ્યાપક નુકસાન થયું છે. જો અંજ કમોસમી વરસાદમાં વધારો થાય તો ખેડૂતોની સ્થિતિ ખૂબ વણસી બની શકે છે.
