Gujarat Plus
Breaking News
રાજનીતિરાષ્ટ્રીય

બંગાળમાં નવી સરકાર: સુવેન્દુ અધિકારીના મંત્રીમંડળની જાહેરાત, જાણો કોને કયું મંત્રાલય મળ્યું?

બંગાળમાં નવી સરકાર: સુવેન્દુ અધિકારીના મંત્રીમંડળની જાહેરાત, જાણો કોને કયું મંત્રાલય મળ્યું?

પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તન બાદ હવે નવી સરકાર એક્શન મોડમાં છે. મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના  (Suvendu Adhikari) એ શપથ લીધા બાદ મંત્રીઓના વિભાગોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં સુશાસન અને સીધો લાભ જનતા સુધી પહોંચાડવા માટે વિભાગોની વહેંચણી કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળમાં નવી સરકારની રચના બાદ, મંત્રીઓના વિભાગોની જાહેરાત કરવામાં આવી છે. દિલીપ ઘોષને પંચાયત બાબતો અને ગ્રામીણ વિકાસ અને પશુધન વિકાસની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે નિશિત પરમાણિકને ઉત્તર બંગાળ વિકાસ, યુવા કલ્યાણ અને રમતગમતની જવાબદારી સોંપવામાં આવી છે.

પશ્ચિમ બંગાળ મંત્રીમંડળની યાદી (મે 2026)

નવી કેબિનેટમાં અનુભવી ચહેરાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. અહીં મુખ્ય મંત્રીઓ અને તેમના મંત્રાલયોની યાદી છે:

  • સુવેન્દુ અધિકારી: મુખ્યમંત્રી

  • દિલીપ ઘોષ: પંચાયત બાબતો, ગ્રામીણ વિકાસ અને પશુધન વિકાસ મંત્રી.

  • નિશિત પ્રમાણિક: ઉત્તર બંગાળ વિકાસ, યુવા કલ્યાણ અને રમતગમત મંત્રી.

  • અગ્નિમિત્રા પોલ: મહિલા અને બાળ કલ્યાણ તથા મ્યુનિસિપલ કોર્પોરેશન (નગર નિગમ).

  • ખુદીરામ ટુડુ: આદિવાસી (જનજાતીય) વિકાસ મંત્રી.

  • અશોક કીર્તનિયા: ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગ.

મહત્વના ફેરફારો અને જવાબદારી

આ વખતે મંત્રાલયોની ફાળવણીમાં ખાસ સંતુલન જાળવવામાં આવ્યું છે. દિલીપ ઘોષ ને ગ્રામીણ વિકાસની જવાબદારી સોંપીને ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. બીજી તરફ, નિશિત પ્રમાણિક ઉત્તર બંગાળના વિકાસ અને યુવાઓના પ્રશ્નો પર ધ્યાન આપશે.

મહિલા સુરક્ષા અને કલ્યાણ માટે અગ્નિમિત્રા પોલ ને મહત્વનો વિભાગ સોંપાયો છે. આ સાથે જ તેમને નગર નિગમોની જવાબદારી પણ મળી છે, જે શહેરી વિકાસ માટે નિર્ણાયક રહેશે.

સુશાસન તરફ ડગલું

મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ જણાવ્યું છે કે આ નવી ટીમ રાજ્યમાં ભ્રષ્ટાચાર મુક્ત અને સરળ વહીવટ આપવા માટે કટિબદ્ધ છે. નવી સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓના લાભ સીધા સામાન્ય જનતા સુધી પહોંચાડવાનો છે.

સંબંધિત પોસ્ટ્સ

બંગાળ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર: નેતાજી સુભાષચંદ્ર બોઝના પ્રપૌત્ર ચંદ્ર કુમાર બોઝ TMCમાં જોડાયા

praxpatel

આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો

Maheriya Nirali

મમતાએ જોબ-ગેરંટી યોજનામાં મહાત્મા ગાંધીનું નામ જોડ્યું: મમતાએ કહ્યું- મનરેગામાંથી બાપુનું નામ હટાવવું શરમજનક; કેન્દ્રએ તેનું નામ ‘VB–જી રામ જી’ કર્યું

Gujarat Plus