પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં બહુ મોટો બળવો થયો છે. ટીએમસીના 19 સાંસદો પક્ષ સામે બળવાખોર બન્યા છે. આ તમામ સાંસદોએ લોકસભા સ્પીકરને પત્ર લખીને એનડીએ (NDA) સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી છે.
હવે આ બળવાખોર કેમ્પમાં સામેલ તમામ મોટા નેતાઓના નામ સત્તાવાર રીતે સામે આવી ગયા છે.
બળવાખોર સાંસદોની સંપૂર્ણ યાદી
આ બળવાખોર જૂથનું નેતૃત્વ કાકોલી ઘોષ દસ્તીદાર કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. આ યાદીમાં ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા યૂસુફ પઠાન અને વરિષ્ઠ અભિનેતા શત્રુઘ્ન સિંહા જેવા દિગ્ગજ નામો પણ સામેલ છે.
મુખ્ય બળવાખોર TMC સાંસદોના નામ નીચે મુજબ છે:
-
કાકોલી ઘોષ દસ્તીદાર (બારાસાત)
-
યૂસુફ પઠાન (બહરામપુર)
-
શત્રુઘ્ન સિંહા (આસનસોલ)
-
સયાની ઘોષ (કોલકાતા સાઉથ)
-
દીપક અધિકારી – દેવ (ઘાટલ)
-
રચના બેનર્જી (હુગલી)
-
જગદીશ ચંદ્ર બસૂનિયા (કૂચ બિહાર)
-
ખલીલુર રહમાન (જાંગીપુર)
-
અબુ તાહીર ખાન (મુર્શિદાબાદ)
-
પાર્થ ભૌમિક (બેરકપુર)
-
બાપી હલદર (માથુરાપુર)
-
મિતાલી બેગ (આરામબાગ)
-
કાલિપદા સોરેન (ઝાડગ્રામ)
-
જૂન માલિયા (મેદિનીપુર)
-
અરૂપ ચક્રવર્તી (બાંકુરા)
-
ડૉ. શર્મિલા સરકાર (બર્ધમાન ઈસ્ટ)
-
આસિત કુમાર મલ (બોલપુર)
-
શતાબ્દી રોય (બીરભૂમ)
ટીએમસીનો બળવાખોરો પર આકરો પ્રહાર
આ મોટા ભંગાણ બાદ તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કલ્યાણ બેનર્જી અને કીર્તિ આઝાદે મોરચો સંભાળ્યો છે. તેમણે બળવાખોર સાંસદો પર તીખા પ્રહારો કર્યા છે. ટીએમસી નેતાઓએ આરોપ લગાવ્યો કે આ બળવાખોરોમાં રાજકીય નૈતિકતા નથી. તેઓ સંકટના સમયે પાર્ટી અને કાર્યકર્તાઓને દગો આપી રહ્યા છે.
ભાજપ અને અમિત શાહ સાથે સાંઠગાંઠનો આરોપ
કલ્યાણ બેનર્જીએ એક મોટો દાવો કરતા જણાવ્યું કે, આ બળવાખોર સાંસદો પડદા પાછળ ભાજપ સાથે મળીને કામ કરી રહ્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે આ નેતાઓએ શુભેન્દુ અધિકારીની હાજરીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ સાથે મુલાકાત કરી હતી.
“કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતે તૃણમૂલ સાંસદ યૂસુફ પઠાનનો સંપર્ક કર્યો હતો. ભાજપ વિપક્ષને નબળો પાડવા માટે નેતાઓને તોડવાનો પ્રયાસ કરી રહી છે.” — કલ્યાણ બેનર્જી, વરિષ્ઠ TMC નેતા
‘નૈતિકતા હોય તો રાજીનામું આપો’
tmc નેતાઓએ બળવાખોરોને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે પૂર્વ રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રાયનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે કહ્યું કે જો બળવાખોરોમાં હિંમત અને નૈતિકતા હોય, તો પહેલા સાંસદ પદેથી રાજીનામું આપે અને પછી ખુલ્લેઆમ ભાજપમાં જોડાય.
જોકે, કીર્તિ આઝાદ અને કલ્યાણ બેનર્જી બંનેએ દાવો કર્યો છે કે આ પક્ષપલટાથી ટીએમસી નબળી નહીં પડે, કારણ કે પાર્ટીના તમામ પાયાના કાર્યકર્તાઓ આજે પણ મમતા બેનર્જી સાથે મજબૂતીથી ઉભા છે.
< /p>
