ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. આજે જૂનાગઢના માંગરોળ તાલુકાના રઈજ ગામ પાસે એક કંપારી છૂટી જાય તેવો અકસ્માત સર્જાયો છે. સોમનાથથી દ્વારકા જઈ રહેલી ભાવનગરના શ્રદ્ધાળુઓની ખાનગી બસ પલટી મારી ગઈ છે. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં છે.
કેવી રીતે સર્જાયો અકસ્માત?
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ખાનગી બસમાં ભાવનગરના 40થી વધુ શ્રદ્ધાળુઓ સવાર હતા. તમામ લોકો સોમનાથ મહાદેવના દર્શન કરીને દ્વારકા જઈ રહ્યા હતા. રઈજ ગામ નજીક અચાનક રોડ પર રોઝડું (નીલગાય) આડું ઉતર્યું હતું. પ્રાણીને બચાવવા જતાં બસ ચાલકે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. પરિણામે બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર
અકસ્માત થતાં જ મુસાફરોમાં ભારે ચીસાચીસ મચી ગઈ હતી. સ્થાનિક લોકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.
-
મૃત્યુ: 2 શ્રદ્ધાળુઓના કરૂણ મોત.
-
ઈજાગ્રસ્ત: અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ.
-
હોસ્પિટલ: 108 મારફતે ઈજાગ્રસ્તોને કેશોદ અને જૂનાગઢની હોસ્પિટલમાં ખસેડાયા છે.
પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. શ્રદ્ધાળુઓના પરિવારમાં આ ઘટનાથી શોકનું મોજું ફરી વળ્યું છે.
