મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા)માંથી યુદ્ધ વચ્ચે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઇઝરાયેલે એક ભીષણ હવાઈ હુમલામાં હમાસની મિલિટરી વિંગના ચીફ ઇજ્જ અલ-દીન અલ-હદ્દાદને મોતને ઘાટ ઉતારી દીધો છે. ઇઝરાયેલી સેનાના દાવા મુજબ, અલ-હદ્દાદ એ ટોચના કમાન્ડરોમાંથી એક હતો જેણે ૭ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ ઇઝરાયેલ પર થયેલા ભયાનક હુમલાનું પ્લાનિંગ કર્યું હતું. બીજી તરફ, હમાસે પણ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચીફના મોતની પુષ્ટિ કરી દીધી છે.
ગાઝામાં થયેલી એરસ્ટ્રાઇકમાં થયો ઢેર
ઇઝરાયેલી આર્મીના જણાવ્યા અનુસાર, ગાઝામાં શુક્રવારે કરવામાં આવેલી એરસ્ટ્રાઇકમાં અલ-હદ્દાદ માર્યો ગયો હતો. તે હમાસનો સિનિયર મિલિટરી સ્ટ્રેટેજિસ્ટ હતો. તેણે ઓક્ટોબર ૨૦૨૩માં દક્ષિણ ઇઝરાયેલ પર થયેલા હુમલામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તે હુમલામાં આશરે ૧,૨૦૦ લોકો માર્યા ગયા હતા અને ૨૫૦ થી વધુ લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા.
મોહમ્મદ સિનવારના મોત પછી સંભાળી હતી કમાન
અહેવાલો અનુસાર, મોહમ્મદ સિનવારના મોત બાદ અલ-હદ્દાદને હમાસની મિલિટરી વિંગની કમાન સોંપવામાં આવી હતી. ઇઝરાયેલે એવો પણ આરોપ લગાવ્યો છે કે યુદ્ધ દરમિયાન અલ-હદ્દાદે પોતાનો જીવ બચાવવા માટે ઘણી વખત ઇઝરાયેલી બંધકોનો માનવ ઢાલ (Human Shield) તરીકે ઉપયોગ કર્યો હતો.
હુમલામાં પત્ની અને પુત્રીનું પણ મોત
અલ-હદ્દાદના પરિવારના સભ્યોએ પુષ્ટિ આપી કે ગાઝામાં થયેલા હુમલામાં અલ-હદ્દાદ ઉપરાંત, તેમની પત્ની અને પુત્રી સહિત છ અન્ય વ્યક્તિઓ માર્યા ગયા હતા. અલ-હદ્દાદના બે પુત્રો ઇઝરાયલ સાથેના અગાઉના સંઘર્ષો દરમિયાન પહેલાથી જ જીવ ગુમાવી ચૂક્યા હતા. ગયા શનિવારે અલ-હદ્દાદને ગાઝામાં દફનાવવામાં આવ્યા હતા. તેમની અંતિમયાત્રા દરમિયાન, તેમના શરીરને હમાસ અને પેલેસ્ટાઇન બંનેના ધ્વજમાં લપેટવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અત્યંત નાજુક સ્થિતિમાં છે. બંને પક્ષો એકબીજા પર યુદ્ધવિરામ ઉલ્લંઘનના આરોપો લગાવવાનું ચાલુ રાખે છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, યુદ્ધવિરામ અમલમાં આવ્યા પછી ગાઝામાં 850 થી વધુ લોકો માર્યા ગયા છે.
સીઝફાયર વચ્ચે તણાવ યથાવત
નોંધનીય છે કે ઇઝરાયેલ અને હમાસ વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) અત્યારે ખૂબ જ નાજુક પરિસ્થિતિમાં છે. બંને પક્ષો એકબીજા પર સીઝફાયરના ઉલ્લંઘનનો આરોપ લગાવી રહ્યા છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, સીઝફાયર લાગુ થયા પછી પણ ગાઝામાં હજુ સુધી ૮૫૦ થી વધુ લોકોના મોત થયા છે.
