નાઈટ ફ્રેન્કના ‘ધ વેલ્થ રિપોર્ટ 2026’ મુજબ, ભારત વૈશ્વિક સ્તરે સંપત્તિ નિર્માણના સૌથી મોટા કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે. ટેકનોલોજી, ઈન્ડસ્ટ્રિયલ અને કેપિટલ માર્કેટમાં તેજીના કારણે ભારતીય ધનિકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે.
અબજોપતિઓ :શું કહે છે રિપોર્ટના આંકડા?
-
અબજોપતિઓની સંખ્યા: હાલમાં ભારતમાં 207 અબજોપતિઓ છે, જે 2031 સુધીમાં 51% વધીને 313 થવાનો અંદાજ છે.
-
UHNWIs (અલ્ટ્રા-હાઈ નેટવર્થ ઇન્ડિવિજ્યુઅલ્સ): જે વ્યક્તિની સંપત્તિ 30 મિલિયન ડોલર (અંદાજે 250 કરોડ રૂપિયા) થી વધુ હોય તેમને UHNWI કહેવાય છે. ભારતમાં તેમની સંખ્યા 19,877 થી વધીને 2031 સુધીમાં 25,217 થશે.
-
વૈશ્વિક સ્થાન: અલ્ટ્રા-ધનિકોની સંખ્યાની દ્રષ્ટિએ ભારત અત્યારે વિશ્વમાં છઠ્ઠા ક્રમે છે. જ્યારે અબજોપતિઓની સંખ્યામાં અમેરિકા અને ચીન પછી ભારત ત્રીજા સ્થાને છે.
મુંબઈ: ધનિકોનું મનપસંદ શહેર
રિપોર્ટ અનુસાર, ભારતના કુલ અલ્ટ્રા-ધનિકોમાંથી 35.4% હિસ્સો એકલા મુંબઈ (Mumbai) માં વસે છે. મુંબઈ દેશના આર્થિક પાટનગર તરીકે પોતાની ઓળખ વધુ મજબૂત કરી રહ્યું છે.
વિકાસના મુખ્ય કારણો
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ચેરમેન શિશિર બૈજલના જણાવ્યા અનુસાર, ભારતીય અર્થતંત્ર વધુ સાહસિક (Entrepreneurial) બની રહ્યું છે. ડિજિટલાઈઝેશન (Digitalization), લિસ્ટેડ ઇક્વિટી અને ખાનગી મૂડીના કારણે નવા ફાઉન્ડર્સ અને ઇન્વેસ્ટર્સની સંખ્યા વધી રહી છે.
