બેંગલુરુ: કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં બુધવારે રાત્રે પડેલા ધોધમાર વરસાદે ભારે વિનાશ નોતર્યો છે. ચર્ચ સ્ટ્રીટ પર આવેલી જાણીતી પુસ્તકોની દુકાન ‘દ બુકવર્મ’ માં પૂરના પાણી ભરાઈ જવાથી અંદાજે 4,000 થી 5,000 પુસ્તકો સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયા છે. કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક લોકપ્રિય પુસ્તકાલયમાં બુધવારે રાત્રે ભારે વરસાદને કારણે આવેલા ભયંકર પૂરમાં હજારો પુસ્તકોનો નાશ થયો હતો. દુકાનનો મોટાભાગનો સ્ટોક પાણીમાં ડૂબી ગયો હતો. ચર્ચ સ્ટ્રીટ પર સ્થિત ‘ધ બુકવોર્મ’ એ ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કર્યા છે જેમાં સ્ટોરની અંદર પૂરના પાણીમાં પુસ્તકો તરતા દેખાય છે. તસવીરોમાં દુકાનની બહાર જમીન પર કરા પડતા પણ દેખાય છે. સ્ટોરે અહેવાલ આપ્યો છે કે પૂરમાં 4,000 થી 5,000 પુસ્તકોનો નાશ થયો છે.
નવો સ્ટોક પાણીમાં ગરકાવ
દુકાનના માલિક કૃષ્ણાએ જણાવ્યું કે ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ પુસ્તકોનો મોટો નવો સ્ટોક મંગાવવામાં આવ્યો હતો. કમનસીબે, વરસાદના પાણીમાં આ નવા સ્ટોકનો મોટાભાગનો હિસ્સો ડૂબી ગયો છે. આર્થિક રીતે આ એક મોટું નુકસાન છે.
શા માટે પુસ્તકો બચાવી ન શકાયા?
માલિકના મતે, આધુનિક પ્રકાશન પદ્ધતિ પણ આ નુકસાન પાછળ જવાબદાર છે:
-
રિસાયકલ પેપર: અત્યારે મોટાભાગના પબ્લિશર્સ રિસાયકલ પેપર વાપરે છે, જે પાણીમાં તરત જ ગળી જાય છે.
-
કોમિક્સને વધુ નુકસાન: એસ્ટ્રિક્સ અને ઓબેલિક્સ જેવી કલરફુલ કોમિક્સ તેલ આધારિત કાગળ પર છપાયેલી હોવાથી તેને બચાવવી અશક્ય બની છે.
સોશિયલ મીડિયા પર મદદની સરવાણી
દુકાને ઇન્સ્ટાગ્રામ પર પૂરના પાણીમાં તરતા પુસ્તકોના ફોટા શેર કર્યા છે, જેને જોઈને લોકો ભાવુક થઈ રહ્યા છે. ઘણા લોકોએ મદદની ઓફર કરી છે:
-
રહીશોએ ભીના થયેલા પુસ્તકો ખરીદીને દુકાનને મદદ કરવાની અપીલ કરી છે.
-
દુકાન માલિક કેટલાક પુસ્તકો સુકવીને ઓછા ભાવે વેચવાની કોશિશ કરશે.
-
કોલકાતાના ‘વેટ બુક ફેર’ (Wet Book Fair) જેવું જ આયોજન કરવાની પણ સલાહ આપવામાં આવી રહી છે.
