બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ન્યૂઝીલેન્ડ સામેની આગામી હોમ સિરીઝ માટે મેચના સમયમાં મોટો ફેરફાર કર્યો છે. તમીમ ઈકબાલના નેતૃત્વમાં બોર્ડે વીજળી બચાવવાના હેતુથી આ મહત્વનો નિર્ણય લીધો છે. હવે મેચો વહેલી શરૂ થશે જેથી લાઈટનો વપરાશ ઘટાડી શકાય.
શું છે ક્રિકેટ મેચનો નવો સમય?
બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 17 એપ્રિલથી વનડે અને T20 સિરીઝ શરૂ થઈ રહી છે. નવા શેડ્યૂલ મુજબ મેચના સમય નીચે મુજબ રહેશે:
-
વનડે મેચ: હવે સવારે 11:00 વાગ્યે (સ્થાનિક સમય મુજબ) શરૂ થશે. અગાઉ આ મેચો મોડી શરૂ થતી હતી.
-
T20 મેચ: T20 મેચો હવે બપોરે 2:00 વાગ્યે શરૂ થશે, જે સાંજે 5:10 સુધીમાં પૂર્ણ થઈ જશે.
-
મહિલા ક્રિકેટ: શ્રીલંકા સામેની મહિલા T20 સિરીઝના સમયમાં પણ ફેરફાર કરાયો છે. હવે મેચ સાંજે 6 વાગ્યાને બદલે બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.
વીજળી બચાવવા માટે લેવાયો નિર્ણય
બોર્ડના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશ સરકારની ઉર્જા બચાવવાની પહેલને ટેકો આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મેચો વહેલી શરૂ થવાથી ડે-નાઈટ મેચોમાં ફ્લડ લાઈટ્સનો ઉપયોગ ઓછો થશે અને દિવસના અજવાળાનો મહત્તમ લાભ લઈ શકાશે.
ન્યૂઝીલેન્ડના પ્રવાસનું શેડ્યૂલ
-
વનડે સિરીઝ: 17 અને 20 એપ્રિલે ઢાકામાં પ્રથમ બે મેચ અને 23 એપ્રિલે ચટ્ટૌગ્રામમાં ત્રીજી મેચ રમાશે.
-
T20 સિરીઝ: 27 અને 29 એપ્રિલે ચટ્ટૌગ્રામમાં અને 2 મેના રોજ ઢાકામાં અંતિમ મેચ રમાશે.
