જો તમે પણ ATM માંથી વારંવાર પૈસા ઉપાડો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. 1 એપ્રિલ 2026 થી દેશની મોટી બેંકો એટીએમ ટ્રાન્ઝેક્શન અને રોકડ ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોએ હવે સાવધ રહેવું પડશે.
HDFC બેંક: UPI કેશ વિડ્રોઅલ હવે ફ્રી નહીં રહે!
HDFC બેંકે મોટો નિર્ણય લેતા જણાવ્યું છે કે હવે UPI દ્વારા ATM માંથી પૈસા ઉપાડવાને પણ ‘ફ્રી લિમિટ’ માં ગણવામાં આવશે.
-
અત્યાર સુધી UPI કેશ વિડ્રોઅલ અલગ ગણાતું હતું.
-
હવે તે સામાન્ય એટીએમ ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં સામેલ થશે.
-
જો તમે નક્કી કરેલી ફ્રી લિમિટ કરતા વધુ વખત પૈસા ઉપાડશો, તો દરેક ટ્રાન્ઝેક્શન પર ₹23 અને ટેક્સ ચૂકવવો પડશે.
PNB: એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટમાં ઘટાડો
પંજાબ નેશનલ બેંક (PNB) એ તેના વિવિધ ડેબિટ કાર્ડ્સ પર દૈનિક રોકડ ઉપાડની મર્યાદામાં ધરખમ ઘટાડો કર્યો છે:
-
રૂપે પ્લેટિનમ અને ગોલ્ડ કાર્ડ: દૈનિક મર્યાદા ₹1,00,000 થી ઘટાડીને ₹50,000 કરવામાં આવી છે.
-
વિઝા સિગ્નેચર અને સિલેક્ટ કાર્ડ: મર્યાદા ₹1,50,000 થી ઘટાડીને 75,000 કરી દેવાઈ છે.
-
આ નિયમ 1 એપ્રિલ 2026 થી અમલી બનશે.
બંધન બેંક: અન્ય બેંકના ATM વાપરવા પડશે મોંઘા
બંધન બેંકે પણ ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર કર્યો છે:
-
પોતાની બેંકના એટીએમ પર 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે.
-
અન્ય બેંકના એટીએમ પર મેટ્રો શહેરોમાં માત્ર 3 ફ્રી ટ્રાન્ઝેક્શન જ મળશે.
-
મર્યાદા પૂરી થયા પછી દરેક ટ્રાન્ઝેક્શન પર ₹23 નો ચાર્જ લાગશે.
-
જો ખાતામાં બેલેન્સ ઓછું હોવાને કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થશે, તો ₹25 દંડ ભરવો પડશે.
સલાહ: વધારાના ચાર્જથી બચવા માટે મહિનાના અંતે એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર ધ્યાન આપો અને બને ત્યાં સુધી ડિજિટલ પેમેન્ટનો આગ્રહ રાખો.
