Gujarat Plus
Breaking News
તાજા સમાચારબિઝનેસ

ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા! HDFC અને PNB સહિત આ બેંકોએ બદલ્યા નિયમો, જાણો તમારી જેબ પર શું થશે અસર?

ATM માંથી પૈસા ઉપાડવા થશે મોંઘા! HDFC અને PNB સહિત આ બેંકોએ બદલ્યા નિયમો, જાણો તમારી જેબ પર શું થશે અસર?

જો તમે પણ ATM માંથી વારંવાર પૈસા ઉપાડો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. 1 એપ્રિલ 2026 થી દેશની મોટી બેંકો એટીએમ ટ્રાન્ઝેક્શન અને રોકડ ઉપાડના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. HDFC, PNB અને બંધન બેંકના ગ્રાહકોએ હવે સાવધ રહેવું પડશે.

HDFC બેંક: UPI કેશ વિડ્રોઅલ હવે ફ્રી નહીં રહે!

HDFC બેંકે મોટો નિર્ણય લેતા જણાવ્યું છે કે હવે UPI દ્વારા ATM માંથી પૈસા ઉપાડવાને પણ ‘ફ્રી લિમિટ’ માં ગણવામાં આવશે.

  • અત્યાર સુધી UPI કેશ વિડ્રોઅલ અલગ ગણાતું હતું.

  • હવે તે સામાન્ય એટીએમ ટ્રાન્ઝેક્શનની મર્યાદામાં સામેલ થશે.

  • જો તમે નક્કી કરેલી ફ્રી લિમિટ કરતા વધુ વખત પૈસા ઉપાડશો, તો દરેક ટ્રાન્ઝેક્શન પર ₹23 અને ટેક્સ ચૂકવવો પડશે.

PNB: એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટમાં ઘટાડો

પંજાબ નેશનલ બેંક (PNB) એ તેના વિવિધ ડેબિટ કાર્ડ્સ પર દૈનિક રોકડ ઉપાડની મર્યાદામાં ધરખમ ઘટાડો કર્યો છે:

  • રૂપે પ્લેટિનમ અને ગોલ્ડ કાર્ડ: દૈનિક મર્યાદા ₹1,00,000 થી ઘટાડીને ₹50,000 કરવામાં આવી છે.

  • વિઝા સિગ્નેચર અને સિલેક્ટ કાર્ડ: મર્યાદા ₹1,50,000 થી ઘટાડીને 75,000 કરી દેવાઈ છે.

  • આ નિયમ 1 એપ્રિલ 2026 થી અમલી બનશે.

બંધન બેંક: અન્ય બેંકના ATM વાપરવા પડશે મોંઘા

બંધન બેંકે પણ ટ્રાન્ઝેક્શન લિમિટમાં ફેરફાર કર્યો છે:

  • પોતાની બેંકના એટીએમ પર 5 ફ્રી ટ્રાન્ઝેક્શન મળશે.

  • અન્ય બેંકના એટીએમ પર મેટ્રો શહેરોમાં માત્ર 3 ફ્રી ટ્રાન્ઝેક્શન જ મળશે.

  • મર્યાદા પૂરી થયા પછી દરેક ટ્રાન્ઝેક્શન પર ₹23 નો ચાર્જ લાગશે.

  • જો ખાતામાં બેલેન્સ ઓછું હોવાને કારણે ટ્રાન્ઝેક્શન ફેલ થશે, તો ₹25 દંડ ભરવો પડશે.

સલાહ: વધારાના ચાર્જથી બચવા માટે મહિનાના અંતે એટીએમ ટ્રાન્ઝેક્શનની સંખ્યા પર ધ્યાન આપો અને બને ત્યાં સુધી ડિજિટલ પેમેન્ટનો આગ્રહ રાખો.

સંબંધિત પોસ્ટ્સ

ગુજરાતમાં ઈંધણની કટોકટી? અમદાવાદ સહિત અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર લાગી લાંબી લાઈનો, જાણો શું છે સાચું કારણ

praxpatel

ભાજપની ‘નો રિપીટ થિયરી’ સામે સવાલ: પાલડીમાં 20 વર્ષથી એક જ પરિવારનું રાજ, કાર્યકરોમાં ભારે રોષ

praxpatel

કપાતર દીકરાની કરતૂત, ભણવાનું કહેતા પિતાની હત્યા

aminparmar