Gujarat Plus
Breaking News
ક્રાઇમ

ખૌફનાક કાંડ! ગર્લફ્રેન્ડ ના રૂમ પર લઈ જઈ પત્નીનું મર્ડર, લાશ બાથરૂમમાં છુપાવી બંને ફરાર

ખૌફનાક કાંડ! ગર્લફ્રેન્ડના રૂમ પર લઈ જઈ પત્નીનું મર્ડર, લાશ બાથરૂમમાં છુપાવી બંને ફરાર

ગુરુગ્રામના માનેસર વિસ્તારમાંથી એક દિલ દહલાવી દેનારી સનસનીખેજ ઘટના સામે આવી છે. અહીં લગ્નના માત્ર ૩ મહિના બાદ જ એક નવવધૂની નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘાતકી હત્યાનો આરોપ અન્ય કોઈ પર નહીં, પરંતુ મૃતક મહિલાના પતિ અને તેની પ્રેમિકા (ગર્લફ્રેન્ડ) પર લાગ્યો છે. આ ખૌફનાક વારદાતને અંજામ આપ્યા બાદ આરોપી પતિએ પોલીસ અને પરિવારને ગુમરાહ કરવા માટે એક મોટી વાર્તા પણ ઘડી કાઢી હતી.

૨૧ મેથી ગુમ હતી મધુ, પતિએ બનાવ્યું બહાનું

મૃતક મહિલાની ઓળખ મધુ તરીકે થઈ છે. તેના લગ્ન હજુ ૩ મહિના પહેલા જ ઘણી આશાઓ સાથે થયા હતા. પરંતુ લગ્નના થોડા જ દિવસોમાં તે ક્રૂરતાનો ભોગ બની ગઈ. માહિતી અનુસાર, ગત ૨૧ મેના રોજ મધુ અચાનક શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગઈ હતી.

મધુ ગુમ થયા બાદ આરોપી પતિએ પોતાની ઘાતકી સાજિશ હેઠળ એક જૂઠી કહાની રચી. તેણે સાસરીવાલા અને પોલીસને એવું કહીને વિશ્વાસ અપાવ્યો કે, મધુ ઘરમાં રાખેલા તમામ કિંમતી દાગીના અને ઘરેણાં લઈને ક્યાંક ભાગી ગઈ છે. શરૂઆતમાં પરિવારને તેની વાત સાચી લાગી, પરંતુ ઘણા દિવસો સુધી મધુનો કોઈ પત્તો ન મળતા પરિવારને પતિ પર શંકા ગઈ હતી.

ગર્લફ્રેન્ડના બાથરૂમમાંથી મળી સડી ગયેલી લાશ

રવિવારે જ્યારે પોલીસ તપાસ કરતી કરતી આરોપીની ગર્લફ્રેન્ડના રૂમ પર પહોંચી, ત્યારે ત્યાં બહારથી તાળું મારેલું હતું. પોલીસે શંકાના આધારે જ્યારે રૂમનો દરવાજો તોડ્યો ત્યારે અંદરનું દ્રશ્ય ભયાનક હતું. રૂમના બાથરૂમમાંથી ખૂબ જ તીવ્ર દુર્ગંધ આવી રહી હતી.

જ્યારે પોલીસે બાથરૂમનો દરવાજો ખોલ્યો તો ત્યાં મધુનો ખરાબ રીતે સડી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. લાશની હાલત જોઈને અંદાજ લગાવી શકાય છે કે હત્યા ઘણા દિવસો પહેલા જ કરી દેવામાં આવી હતી.

આરોપી પતિ અને પ્રેમિકાની શોધખોળ શરૂ

હત્યા બાદ આરોપી પતિ અને તેની ગર્લફ્રેન્ડ બંને રૂમને તાળું મારીને ફરાર થઈ ગયા છે. હાલમાં માનેસર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને ફરાર પ્રેમી પંખીડાને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.

સંબંધિત પોસ્ટ્સ

વલસાડમાં વાપી નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો; CCTVની મદદથી RPF એ બે આરોપીને દબોચ્યા

ANIL PATEL

અક્ષરધામ પર આતંકવાદી હુમલામાં 3 આરોપીઓને બિનતહોમત છોડી દેવાયા:

ANIL PATEL

આખરે શક્તિસિંહ ગોહિલના ભત્રીજા યશરાજસિંહ સામે હત્યાનો ગુનો નોંધાયો

Maheriya Nirali