ભારતે દરિયાઈ સીમાઓ પર પોતાનું વર્ચસ્વ વધારવા માટે વધુ એક મોટું કદમ ઉઠાવ્યું છે. સ્વદેશી ટેકનોલોજીથી બનેલું અત્યાધુનિક યુદ્ધ જહાજ INS તારાગિરી (F41) આજે ભારતીય નૌસેનામાં સામેલ થઈ ગયું છે. વિશાખાપટ્ટનમ ખાતે યોજાયેલા ખાસ કાર્યક્રમમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે તેને દેશને સમર્પિત કર્યું હતું.
‘પ્રોજેક્ટ 17A’ હેઠળ નિર્મિત ચોથું ફ્રિગેટ
INS તારાગિરી એ ‘પ્રોજેક્ટ 17A’ હેઠળ બનાવવામાં આવેલું ચોથું સ્ટીલ્થ ફ્રિગેટ છે. મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ દ્વારા નિર્મિત આ જહાજમાં 75% થી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે. આ ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનની મોટી સફળતા છે.
INS તારાગિરીની મુખ્ય ખાસિયતો
આ યુદ્ધ જહાજ માત્ર દેખાવમાં જ નહીં, પણ શક્તિમાં પણ અજોડ છે. તેની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
-
બ્રહ્મોસ મિસાઈલ: આ જહાજ સુપરસોનિક બ્રહ્મોસ મિસાઈલથી સજ્જ છે, જે દુશ્મનો પર કાળ બનીને ત્રાટકશે.
-
સ્ટીલ્થ ટેકનોલોજી: આ ટેકનોલોજીના કારણે તે દુશ્મનના રડારમાં સહેલાઈથી પકડાતું નથી.
-
એર ડિફેન્સ: તેમાં MRSAM એર ડિફેન્સ સિસ્ટમ અને MF-STAR રડાર લગાવવામાં આવ્યા છે.
-
સબમરીન વિરોધી શક્તિ: સબમરીનનો નાશ કરવા માટે તેમાં આધુનિક રોકેટ અને ટોર્પિડો સામેલ છે.
-
ક્લોઝ-ઈન વેપન સિસ્ટમ: જહાજની સુરક્ષા માટે 30mm અને 12.7mm ની ગન સિસ્ટમ પણ છે.
સંરક્ષણ ક્ષેત્રે ભારતનો વધતો દબદબો
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પ્રસંગે જણાવ્યું કે તારાગિરી ભારતની અતૂટ શક્તિનું પ્રતિક છે. ભારત હવે માત્ર હથિયારો ખરીદતો દેશ નથી રહ્યો, પણ મોટા પાયે નિકાસ પણ કરી રહ્યો છે.
Speaking at the commissioning ceremony of INS Taragiri in Visakhapatnam. https://t.co/nQ91QSBZEr
— Rajnath Singh (@rajnathsingh) April 3, 2026
નાણાકીય વર્ષ 2025-26માં ભારતની સંરક્ષણ નિકાસ 38,424 કરોડ રૂપિયા પર પહોંચી છે. જે ગત વર્ષ કરતા 62.66% નો મોટો ઉછાળો દર્શાવે છે.
