Gujarat LPG Policy: ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગેસ અને કેરોસીનના પુરવઠાને લઈને મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં અધિક મુખ્ય સચિવ સુશ્રી મોના ખંધારે નવી વિતરણ વ્યવસ્થાની સ્પષ્ટતા કરી છે. સરકારનો ઉદ્દેશ્ય ઘરેલું વપરાશકર્તાઓને મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે.
કોમર્શિયલ LPG માટે નવી ફાળવણી પ્રણાલી
સરકારે કોમર્શિયલ વપરાશકર્તાઓ માટે નવી મર્યાદા (Cap) નક્કી કરી છે. જે સ્થળે PNG નેટવર્ક નથી, ત્યાં નીચે મુજબ ગેસ મળશે:
-
100% જથ્થો: હોસ્પિટલો અને શૈક્ષણિક સંસ્થાઓને તેમની પૂરેપૂરી જરૂરિયાત મુજબ ગેસ મળશે.
-
70% જથ્થો: ફાર્માસ્યુટિકલ, ડેરી ઉદ્યોગ, સીડ પ્રોસેસિંગ અને રેલવે/એરલાઇન કેન્ટીનને મળશે.
-
10% જથ્થો: હોટલ, રેસ્ટોરન્ટ, ધાબા અને કોર્પોરેટ કેન્ટીનને હવે માત્ર 10% જથ્થો જ ફાળવવામાં આવશે.
LPG કનેક્શન સરેન્ડર કરવાનો નિયમ
સરકારે સ્પષ્ટ કર્યું છે કે અત્યારે LPG ને બદલે PNG (પાઈપલાઈન ગેસ) ને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
-
જે ગ્રાહકો પાસે LPG અને PNG બંને કનેક્શન છે, તેમણે બુધવાર સુધીમાં LPG કનેક્શન સરેન્ડર કરવાનું રહેશે.
-
આ પગલાથી જરૂરિયાતમંદ પરિવારોને સમયસર સિલિન્ડર મળી શકશે.
જિલ્લા દીઠ 36 હજાર લિટર કેરોસીનની ફાળવણી
ગ્રામ્ય વિસ્તારોમાં ઈંધણની અછત ન સર્જાય તે માટે કેરોસીનનું વિતરણ પણ શરૂ કરાયું છે.
-
કેન્દ્ર સરકાર દ્વારા કુલ 14.52 લાખ લિટર કેરોસીન ફાળવવામાં આવ્યું છે.
-
દરેક જિલ્લાને 36,000 લિટર જથ્થો આપવામાં આવ્યો છે.
-
પરિવાર દીઠ 5 લિટર અને સંસ્થાઓને 25 લિટર કેરોસીન મળશે.


ગેરરીતિ રોકવા કડક દેખરેખ
ગેસ એજન્સીઓમાં કાળાબજાર અને ગેરરીતિ રોકવા માટે પોલીસ અને રેવન્યૂ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
-
છેલ્લા 12 દિવસમાં રાજ્યભરમાં અનેક સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી છે.
- ઓનલાઈન બુકિંગ અને વિતરણ પર ચુસ્ત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે. મદદ માટે હેલ્પલાઇન નંબર:જો તમને ગેસ વિતરણમાં કોઈ સમસ્યા હોય, તો રાજ્ય સરકારના હેલ્પલાઇન નંબર 1800-232-0222 પર સંપર્ક કરી શકો છો.
