રાજકોટના જેતપુર તાલુકાના જેપુર ગામમાં એક ખેડૂતનો હાર્ટ એટેકથી મોત થયુ, આરોપ લાગ્યો કે જેટકો કંપનીની દાદાગીરીના કારણે મોત થયુ છે, ત્યારે ગોપાલ ઈટાલિયા પહોચ્યા હતા.
ગોપાલ ઇટાલિયાએ સરકાર પર આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં ભાજપ સરકારે દાદાગિરી કરીને ગમે ત્યાંથી લાઇન નાખવાનું કામ શરુ કર્યું છે, ભાજપ સરકાર, સરકારી કર્મચારીઓ અને કંપનીઓએ ગેંગ બનાવીને ગુજરાતના 800 ગામડાઓને ચૂંથી નાખ્યા, પોલીસને લાવીને ગુંડાગર્દી કરીને ખેડૂતની પરમિશન વગર ખેતરમાં લાઇનો નાખવામાં આવી , જેથી ખેડૂતને આઘાત લાગતા મોત થયુ છે.
