તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) ના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. શોના સૌથી લોકપ્રિય પાત્ર ‘બાપુજી’ એટલે કે ચંપકચાચા શો છોડી રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક નવા પ્રોમોએ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.
પ્રોમોમાં શું છે સસ્પેન્સ?
તાજેતરમાં રિલીઝ થયેલા પ્રોમોમાં જોવા મળે છે કે ચંપકચાચા અચાનક ગુમ થઈ જાય છે. ત્યારબાદ તેમના વિશે અશુભ અફવાઓ ફેલાતા જેઠાલાલ સંપૂર્ણપણે ભાંગી પડેલા જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને દર્શકો મૂંઝવણમાં મુકાયા છે કે શું ખરેખર બાપુજીનો રોલ ખતમ થઈ રહ્યો છે?
શું અમિત ભટ્ટ શોને કહી રહ્યા છે અલવિદા?
હાલમાં સોશિયલ મીડિયા પર એવી ચર્ચા છે કે અભિનેતા અમિત ભટ્ટ હવે આ શોનો હિસ્સો નહીં રહે. જોકે, નિર્માતા અસિત મોદી કે શોની ટીમ દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઘણીવાર નિર્માતાઓ સસ્પેન્સ વધારવા માટે આવા ટ્વિસ્ટ લાવતા હોય છે.
અત્યાર સુધી શો છોડી ચૂકેલા સ્ટાર્સ
જો બાપુજી શો છોડશે, તો તેઓ શો છોડનારા મુખ્ય કલાકારોની લાંબી યાદીમાં સામેલ થશે:
-
દયાબેન (દિશા વાકાણી): 2017થી શોની બહાર છે.
-
તારક મહેતા (શૈલેષ લોઢા): લાંબો સમય કામ કર્યા બાદ 2022માં વિદાય લીધી.
-
ટપ્પુ અને સોનુ: આ બંને પાત્રોમાં અત્યાર સુધી અનેક કલાકારો બદલાઈ ચૂક્યા છે.
-
કુશ શાહ (ગોલી): 16 વર્ષ બાદ તાજેતરમાં જ શોને અલવિદા કહ્યું.
હવે જોવાનું એ રહેશે કે જેઠાલાલના ‘બાપુજી’ ખરેખર પાછા આવશે કે પછી ગોકુલધામની વધુ એક જૂની યાદી બનીને રહી જશે.
