કેરળમાં વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે PM મોદીએ આજે તિરુવલ્લામાં એક વિશાળ જનસભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો (LDF-UDF) પર નિશાન સાધ્યું હતું.
‘કોંગ્રેસની ઈચ્છા ખતરનાક છે’ – PM મોદી
PM મોદીએ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, કોંગ્રેસ માત્ર સત્તા મેળવવા માટે વિદેશમાં રહેતા એક કરોડ ભારતીયોની જિંદગી દાવ પર લગાવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે:
-
ષડયંત્રનો આરોપ: કોંગ્રેસ ઈચ્છે છે કે ખાડી દેશો ભારતને પોતાનો દુશ્મન માને.
-
ખોટા નિવેદનો: વિપક્ષ જાણીજોઈને એવા નિવેદનો આપી રહ્યો છે જેથી ખાડી દેશોમાં રહેતા આપણા ભાઈ-બહેનો પર મુસીબત આવે.
-
ડરનો માહોલ: કેન્દ્ર સરકારની ટીકા કરવા માટે દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે.
Keralam stands with the BJP-NDA. It rejects the LDF and UDF’s empty promises. Addressing a huge public meeting in Thiruvalla. https://t.co/DK5Z9rSfSw
— Narendra Modi (@narendramodi) April 4, 2026
ભારતીયોની સુરક્ષા મારી પ્રાથમિકતા
PM મોદીએ વિરોધીઓને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. તેમણે કહ્યું, “રાજનીતિ પોતાની જગ્યાએ છે અને ચૂંટણીઓ આવતી-જતી રહેશે. પરંતુ વિદેશમાં કામ કરતા કેરળના લોકોની સુરક્ષા મારી સૌથી મોટી પ્રાથમિકતા છે. હું તેમની સુરક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું.”
Thiruvalla, Keralam: PM Narendra Modi says, "To criticize Modi, Congress is ready to put the lives of one crore expatriates at risk. In Iran, many of our fishermen from Kerala, Tamil Nadu, Goa, Andhra Pradesh, Telangana, and Puducherry are in danger, and we are working to bring… pic.twitter.com/TRn0ulhaP3
— IANS (@ians_india) April 4, 2026
સબરીમાલા મંદિર મુદ્દે વિપક્ષ પર નિશાન
સબરીમાલા મંદિરના વિવાદ પર પીએમ મોદીએ ડાબેરી સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું કે:
-
ડાબેરીઓ અને કોંગ્રેસે મળીને સબરીમાલાની આસ્થાને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું છે.
-
હવે આ પવિત્ર તીર્થધામ તેમના માટે લૂંટનો અડ્ડો બની ગયું છે.
-
મંદિરમાં થયેલી ચોરીનું કનેક્શન કોંગ્રેસના ટોચના નેતાઓ સાથે હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો.
