Gujarat Plus
Breaking News
તાજા સમાચારરાષ્ટ્રીય

મુંબઈમાં કરુણાંતિકા: બિરયાની બાદ તરબૂચ ખાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત, રહસ્ય ઘેરાયું

મુંબઈમાં કરુણાંતિકા: બિરયાની બાદ તરબૂચ ખાતા એક જ પરિવારના 4 સભ્યોના મોત, રહસ્ય ઘેરાયું

મુંબઈના પાયધુની વિસ્તારમાંથી એક અત્યંત આઘાતજનક સમાચાર સામે આવ્યા છે. અહીં એક જ પરિવારના ચાર સભ્યોના રહસ્યમય સંજોગોમાં મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. રાત્રે ભોજનમાં બિરયાની અને તરબૂચ ખાધા બાદ આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે.

શું હતી સમગ્ર ઘટના?

ડોકાડિયા પરિવારે રવિવારે રાત્રે ભોજનમાં બિરયાની ખાધી હતી. ભોજનના થોડા સમય બાદ પરિવારે તરબૂચ પણ ખાધું હતું. પરંતુ મોડી રાત્રે અચાનક તમામ સભ્યોની તબિયત લથડી હતી. ગંભીર હાલતમાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ચારેયના મોત થયા હતા.

મૃતકોની ઓળખ

આ કમનસીબ ઘટનામાં જીવ ગુમાવનાર સભ્યોમાં સામેલ છે:

  • અબ્દુલ્લા ડોકાડિયા (40 વર્ષ) – પિતા

  • નસરીન ડોકાડિયા (35 વર્ષ) – માતા

  • આયેશા ડોકાડિયા (16 વર્ષ) – પુત્રી

  • ઝૈનબ ડોકાડિયા (13 વર્ષ) – પુત્રી

પોલીસ તપાસ અને રિપોર્ટની રાહ

મુંબઈ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે આ ફૂડ પોઈઝનિંગ (Food Poisoning) નો કેસ હોઈ શકે છે. જોકે, મોતનું સાચું કારણ બિરયાની માં ઝેર હતું, તરબૂચમાં કે બંનેના મિશ્રણથી થયેલું કોઈ રિએક્શન, તે હજુ સ્પષ્ટ થયું નથી.

મુંબઈ પોલીસના તર્ક અનુસાર પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ હજુ એ સ્પષ્ટ થયું નથી કે ઝેર બિરયાનીમાં હતું, તરબૂચમાં કે બંને સાથે ખાવાથી કોઈ રિએક્શન થયું હતું. પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ખોરાકના નમૂના અને તરબૂચને જપ્ત કરી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પરંતુ મૃત્યુનું સાચું કારણ હિસ્ટોપેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે.

પોલીસે ખોરાકના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યા છે. હવે હિસ્ટોપેથોલોજી રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે.

સંબંધિત પોસ્ટ્સ

અમદાવાદમાં હિંમતનગર ટુ હૈદરાબાદ ચાલતા બાળ તસ્કરીના રેકેટનો પર્દાફાશ, 3.6 લાખમાં વેચાયેલા બાળકનું રેસ્ક્યૂ

ANIL PATEL

US-Iran Ceasefire: મિડિલ ઈસ્ટમાં શાંતિના સંકેત! ટ્રમ્પના તેવર નરમ પડ્યા, સીઝફાયર 2 અઠવાડિયા વધી શકે

praxpatel

ચાંદખેડા ઢોંસાકાંડ: સત્ય જાણવા પોલીસ હવે ‘લાઈ ડિટેક્ટર ટેસ્ટ’ કરશે, પિતાની વાતો પર પોલીસને શંકા

praxpatel