પોરબંદરના દરિયાકિનારે પૌરાણિક અને સાંસ્કૃતિક વિરાસત સમાન માધવપુર ઘેડનો મેળો આ વર્ષે રમતગમતના નવા રંગે રંગાશે. ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના વિવાહ પ્રસંગની ઉજવણીમાં આકર્ષણ વધારવા માટે ભવ્ય **’બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલ’**નું આયોજન કરવામાં આવ્યું છે.
માધવપુર માં 27 થી 30 માર્ચ સુધી રમતોની રમઝટ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને પોરબંદર જિલ્લા વહીવટી તંત્રના સહયોગથી માધવપુરના નયનરમ્ય બીચ પર વિવિધ સ્પર્ધાઓ યોજાશે. આ ફેસ્ટિવલમાં ગુજરાતના ખૂણે-ખૂણેથી 650 થી વધુ ખેલાડીઓ ભાગ લેવા પહોંચશે.
કઈ રમતોનું થશે આયોજન?
દરિયાની રેતીમાં ખેલાડીઓ નીચે મુજબની રમતોમાં પોતાની શક્તિનું પ્રદર્શન કરશે:
-
બીચ ફૂટબોલ અને બીચ કબડ્ડી
-
100 મીટર દોડ
-
પરંપરાગત નાળીયેર ફેંક
-
અખાડા કુસ્તી (દેશી કુસ્તી)
સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ
માધવપુર નો મેળો 27 માર્ચથી 31 માર્ચ 2026 દરમિયાન યોજાશે. અહીં ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્ષ્મણીજીના લગ્ન પ્રસંગને જીવંત કરવામાં આવે છે. આ મેળામાં ગુજરાત અને ઉત્તર-પૂર્વ (North East) ભારતના કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે, જે ભારતની ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ની ભાવનાને ઉજાગર કરે છે.
