તાજેતરમાં અનેક ટેક્સપેયર્સને આવકવેરા વિભાગ તરફથી ‘મહત્વના વ્યવહારો’ (Significant Transactions) અંગેના ઇમેઇલ મળ્યા છે. જોકે, આ ઇમેઇલમાં આપેલી માહિતી ખોટી હોવાનું સામે આવ્યું છે. ઇનકમ ટેક્સ વિભાગે હવે આ મામલે સત્તાવાર સ્પષ્ટતા કરી છે.
શું હતી સમગ્ર ઘટના?
આવકવેરા વિભાગ એડવાન્સ ટેક્સ ઈ-કેમ્પેઈન (AY 2026-27) હેઠળ ટેક્સપેયર્સને રિમાઇન્ડર મોકલી રહ્યો હતો. આ પ્રક્રિયા દરમિયાન ટેકનિકલ ખામીને કારણે ઘણા લોકોને ખોટી વિગતો ધરાવતા ઇમેઇલ મળી ગયા. સોશિયલ મીડિયા પર આ મુદ્દો ગાજતા વિભાગે તાત્કાલિક એક્શન લીધા છે.
વિભાગે શું કહ્યું?
ઇનકમ ટેક્સ વિભાગે ટ્વિટર (X) પર પોસ્ટ કરીને જણાવ્યું છે કે:
-
ખોટી માહિતી બદલ વિભાગ ખેદ વ્યક્ત કરે છે.
-
સર્વિસ પ્રોવાઈડર સાથે મળીને આ ભૂલ સુધારવાનું કામ ચાલુ છે.
-
અગાઉ મળેલા આવા ઇમેઇલને અવગણવા (Ignore કરવા) વિનંતી છે.
ટેક્સપેયર્સ માટે મહત્વની સૂચના
જો તમને પણ આવો કોઈ ઇમેઇલ મળ્યો હોય, તો ગભરાવાની જરૂર નથી. તમે નીચે મુજબ સાચી માહિતી ચકાસી શકો છો:
-
ઇ-ફાઇલિંગ પોર્ટલ પર લોગિન કરો.
-
ત્યાં આપેલા ‘Compliance Portal’ પર જાઓ.
-
‘e-Campaign’ ટેબમાં જઈને તમારા નાણાકીય વ્યવહારોની સાચી વિગતો તપાસો.
