ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના આસિસ્ટન્ટ કોચ રયાન ટેન ડોશેટે (Ryan ten Doeschate) પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપી દીધું છે.
આ સાથે જ ટીમ ઈન્ડિયાના ફીલ્ડિંગ કોચ ટી. દિલીપનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ ગયો છે. શ્રીલંકા વિરુદ્ધની આગામી ટેસ્ટ સિરીઝ અને નવી WTC સાયકલ પહેલા સપોર્ટ સ્ટોફમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે.
રયાન ટેન ડોશેટે કેમ આપ્યું રાજીનામું?
નેધરલેન્ડ્સના પૂર્વ કેપ્ટન રયાન ટેન ડોશેટે જુલાઈ 2024માં આ પદ સંભાળ્યું હતું.
-
ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ તેમણે BCCIને પોતાના નિર્ણય અંગે જાણ કરી દીધી હતી.
-
તેમણે પરિવાર સાથે વધુ સમય વિતાવવા માટે આ નિર્ણય લીધો હોવાનું સામે આવ્યું છે.
-
અહેવાલો મુજબ, તેઓ ફરી એકવાર IPL ફ્રેન્ચાઈઝી કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ના સપોર્ટ સ્ટાફમાં જોડાઈ શકે છે.
ફીલ્ડિંગ કોચ ટી. દિલીપનો કાર્યકાળ પૂરો
ફીલ્ડિંગ કોચ ટી. દિલીપનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છે અને તેઓ શ્રીલંકાના ટેસ્ટ પ્રવાસ પર ટીમ સાથે નહીં જાય.
નવેમ્બર 2021માં રાહુલ દ્રવિડ મુખ્ય કોચ બન્યા ત્યારે ટી. દિલીપની નિમણૂક થઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં આપવામાં આવતો ‘બેસ્ટ ફીલ્ડર’ મેડલનો ખ્યાલ ખૂબ જ ફેમસ થયો હતો.
BCCIએ નવા કોચની જાહેરાત નથી કરી
BCCIએ શ્રીલંકા પ્રવાસ પહેલા સપોર્ટ સ્ટાફની સમીક્ષા કરી હતી, જેમાં ટી. દિલીપનો કાર્યકાળ આગળ ન વધારવાનો નિર્ણય લેવાયો હતો. હાલમાં બોર્ડ દ્વારા આ બંને જગ્યાઓ માટે નવા કોચના નામની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
