કેન્સર અને આહાર વચ્ચેના સંબંધને લઈને અવારનવાર અનેક તર્ક-વિતર્ક થતા હોય છે. હાલમાં જ ઓક્સફર્ડ યુનિવર્સિટીના એક મોટા રિસર્ચમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. આ રિસર્ચમાં શાકાહારી આહાર (Vegetarian Diet) કેન્સરના જોખમને કેવી રીતે અસર કરે છે તે અંગે ઊંડો અભ્યાસ કરવામાં આવ્યો છે.
શું કહે છે લેટેસ્ટ સ્ટડી?
યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ દ્વારા અંદાજે 18 લાખ લોકો પર કરવામાં આવેલી આ સ્ટડી ‘બ્રિટિશ જર્નલ ઓફ કેન્સર’માં પ્રકાશિત થઈ છે. જેમાં જાણવા મળ્યું છે કે માસાહારી લોકોની સરખામણીએ શાકાહારી લોકોમાં અમુક પ્રકારના કેન્સરનું જોખમ ઓછું રહે છે.
કયા કેન્સરનું જોખમ ઘટે છે?
અભ્યાસ મુજબ, શાકાહારી લોકોમાં નીચે મુજબના કેન્સરનું જોખમ ઓછું જોવા મળ્યું છે:
-
પેનક્રિયાટિક કેન્સર: 21% ઓછું જોખમ.
-
કિડની કેન્સર: 28% ઓછું જોખમ.
-
પ્રોસ્ટેટ કેન્સર: 12% ઓછું જોખમ.
-
બ્રેસ્ટ કેન્સર: 9% ઓછું જોખમ.
-
મલ્ટીપલ માયલોમા: 31% ઓછું જોખમ.
જોકે, એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે શાકાહારી લોકોમાં અન્નનળી (Esophagus) ના એક પ્રકારના કેન્સરનું જોખમ બમણું હોઈ શકે છે.
શું શાકાહારી બનવાથી કેન્સર જલ્દી મટી જાય?
ડોક્ટરો અને નિષ્ણાતો આ બાબતે સ્પષ્ટતા કરે છે કે:
-
આ રિસર્ચ માત્ર કેન્સર થવાના જોખમ (Risk) પર છે, તેના ઈલાજ કે રિકવરી પર નથી.
-
કેન્સરનો ઈલાજ કયા સ્ટેજ પર છે અને તેની સારવાર કેવી રીતે થાય છે તેના પર નિર્ભર કરે છે.
-
માત્ર ડાયેટ બદલવાથી કેન્સર જલ્દી મટી જશે તેવું કહેવું વૈજ્ઞાનિક રીતે સાચું નથી.
શાકાહારી આહાર કેવી રીતે મદદ કરે છે?
પ્લાન્ટ બેઝ્ડ ડાયેટમાં ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ્સ અને ઓછી માત્રામાં સેચ્યુરેટેડ ફેટ હોય છે.
-
તે શરીરમાં સોજા (Inflammation) ઘટાડે છે.
-
રોગપ્રતિકારક શક્તિ (Immunity) મજબૂત બનાવે છે.
-
પાચનતંત્ર સુધારે છે.
-
સામાન્ય રીતે શાકાહારી લોકોનો BMI ઓછો હોય છે, જે કેન્સરના જોખમને ઘટાડવામાં મદદરૂપ છે.
ડોક્ટરની સલાહ: માત્ર શાકાહારી હોવું પૂરતું નથી, સંતુલિત આહાર (Balanced Diet) લેવો જરૂરી છે. વધુ પડતું તળેલું કે કાર્બોહાઈડ્રેટ વાળું ખાવાથી સ્થૂળતા વધે છે, જે કેન્સરનું કારણ બની શકે છે.
