મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના ચોથા સપ્તાહમાં ઈરાન માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલી મીડિયાના રિપોર્ટ અનુસાર, ઈરાનની સુરક્ષા પાંખ IRGCના નેવી કમાન્ડર અલીરેઝા તંગસીરી અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં માર્યા ગયા હોવાના અહેવાલ છે.
કોણ હતા અલીરેઝા તંગસીરી?
અલીરેઝા તંગસીરી વર્ષ 2018થી ઈરાની નેવીના કમાન્ડર તરીકે કાર્યરત હતા. વિશ્વના સૌથી મહત્વના જળમાર્ગ ગણાતા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર ઈરાનનો પંજો મજબૂત કરવામાં અને તેની નાકાબંધી કરવામાં તેમની મુખ્ય ભૂમિકા માનવામાં આવે છે. જો આ સમાચારની સત્તાવાર પુષ્ટિ થશે, તો તે ઈરાન માટે અત્યાર સુધીનું સૌથી મોટું નુકસાન ગણાશે.
વેપાર પર ગંભીર અસર: 95% શિપિંગ ઠપ
હોર્મુઝની સામુદ્રધુની બંધ થવાને કારણે વૈશ્વિક વેપાર પર માઠી અસર પડી છે:
-
સામાન્ય રીતે અહીંથી રોજ 120 જહાજો પસાર થાય છે, જે હવે ઘટીને માંડ 5-6 રહી ગયા છે.
-
તેલ અને ગેસના વેપારમાં 95% નો ઘટાડો નોંધાયો છે.
-
ઈરાન હવે પસાર થતા જહાજો પાસેથી ચાઈનીઝ કરન્સી (યુઆન) માં ટોલ ટેક્સ વસૂલવાની તૈયારી કરી રહ્યું છે.
ભારત પર શું થશે અસર?
ભારત માટે આ યુદ્ધ ચિંતાનો વિષય છે કારણ કે:
-
ખાડી દેશોમાં હજારો ભારતીયો વસેલા છે જેમની સુરક્ષા જોખમમાં છે.
-
ભારતની ઉર્જા જરૂરિયાતો (ક્રૂડ ઓઈલ) માટે આ રૂટ ખૂબ મહત્વનો છે.
-
જોકે, ઈરાને મિત્રતાના દાવે કેટલાક ભારતીય જહાજોને પસાર થવાની મંજૂરી આપી છે, જે મોટી રાહત છે.
