જામનગરના જામનગર નજીક આવેલા હાપા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રવિવારે એક મોટી દુર્ઘટના ઘટી હતી. અહીં આવેલી મધુસુદન મસાલા નામની ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં આશરે 35 ટન સૂકા મરચા નો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.
ઘટનાની મુખ્ય વિગતો
ફેક્ટરીના બહારના ભાગમાં રાખવામાં આવેલો મરચા નો વિશાળ જથ્થો આગની લપેટમાં આવી ગયો હતો. આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે. મરચામાં આગ લાગવાને કારણે વાતાવરણમાં તીખો ધુમાડો ફેલાયો હતો, જેનાથી સ્થાનિકો અને ફાયરના જવાનોની આંખોમાં સખત બળતરા થવા લાગી હતી.
સુરત/ પૂજાના ફૂલો સાથે 2 લાખની રોકડ કેનાલમાં પધરાવી, ફાયર વિભાગ થયું દોડતું
Godhraમાં ચોરોનો આતંક: ભાજપ યુવા મોરચાના મહામંત્રીની Mahindra Scorpio ઘરઆંગણેથી ચોરી
ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી 3 ફાયર ટેન્ડરો વડે પાણીનો મારો ચલાવ્યો હતો. ધુમાડાની તીવ્રતાને કારણે જવાનોએ ખાસ પ્રકારના ડ્રેસ પહેરીને કામગીરી કરવી પડી હતી.
સવા કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. સદનસીબે, સમયસર કામગીરી થતા ફેક્ટરીની અંદર રહેલી કિંમતી મશીનરી બચી ગઈ હતી, પરંતુ મરચાનો જથ્થો સંપૂર્ણપણે નાશ પામ્યો છે. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ ચાલી રહી છે.
