Gujarat Plus
Breaking News
ગુજરાતરાજનીતિરાષ્ટ્રીય

11 જાન્યુઆરીએ સોમનાથ આવશે PM મોદી, ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’માં હાજરી આપશે

પ્રધાનમંત્રી મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવવાના છે. તેમના આ 2 દિવસના પ્રવાસને લઈને ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે. બીજી બાજુ સોમનાથ મંદિરમાં 8થી 11 જાન્યુઆરી સુધી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવશે, જ્યાં આગળ-પાછળ 108 અશ્વો વચ્ચે PM નરેન્દ્ર મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે.

સોમનાથમાં પહેલીવાર આશરે 2 કિ.મી. લાંબી યાત્રા યોજાશે જેમાં 108 અશ્વો સામેલ થશે. PM મોદી એક વિશાળ જાહેરસભાને પણ સંબોધન કરવાના છે. 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. 11 જાન્યુઆરી સવારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે.

સંબંધિત પોસ્ટ્સ

કલેકટર પર દબાણ કરવામાં આવ્યું, માટે કલેક્ટરે પોતાની વાત ફેરવી તોળી: ચૈતર વસાવા

ANIL PATEL

ન બેટાનું ન બાપુનું હવે ગુજરાત આપનું ! આપને ભાજપના પરિવારવાદને હથિયાર બનાવ્યો !

ANIL PATEL

સુરતમાં અનોખી ઘટના: ઘોડાને ગાજર ખવડાવવા જતાં માલિકનો અંગૂઠો ચાવી ગયો, 4 કલાકની સર્જરી બાદ ડોક્ટરોએ ચમત્કાર કર્યો!

praxpatel