પ્રધાનમંત્રી મોદી આગામી 10 અને 11 જાન્યુઆરીએ સોમનાથ મહાદેવનાં દર્શનાર્થે આવવાના છે. તેમના આ 2 દિવસના પ્રવાસને લઈને ગીર સોમનાથ જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તૈયારી ચાલી રહી છે. બીજી બાજુ સોમનાથ મંદિરમાં 8થી 11 જાન્યુઆરી સુધી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ની ઉજવણી કરવામાં આવશે, જ્યાં આગળ-પાછળ 108 અશ્વો વચ્ચે PM નરેન્દ્ર મોદીની સ્વાભિમાન યાત્રા યોજાશે.
સોમનાથમાં પહેલીવાર આશરે 2 કિ.મી. લાંબી યાત્રા યોજાશે જેમાં 108 અશ્વો સામેલ થશે. PM મોદી એક વિશાળ જાહેરસભાને પણ સંબોધન કરવાના છે. 10 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી સોમનાથ સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. 11 જાન્યુઆરી સવારે તેઓ સોમનાથ મહાદેવના દર્શન કરશે.
