અમદાવાદ શહેરમાં બેવડી ઋતુના કારણે રોંગચાળો ફાટી નિકડ્યો છે. બદલાતા હવામાનના કારણે સમગ્ર શહેરમાં રોગચાળો ફાટી નિકડતા સિવિલ હોસ્પિટલમા દર્દીઓની લાઇન લાગી છે,બેવડી ઋતુની સીધી અસર નાગરિકોના સાવસ્થાય પર જોવા મળી છે. વાયરલ ઇન્ફેકશન મચ્છરને લગતા રોગચાળામા વધારો જોવા મળી રહ્યો છે. બદલાતી ઋતુની સીધી અસર શહેરીજનો પર પડી છે.
હોસ્પિટલના જાહેર કરેલા આંકડા મુજબ છેલ્લા એક અઠવાડિયામાજ 14, 210 ,ઓપીડી નોંધાઈ છે. હોસપીટલના તમામ વિભાગ દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે.હાલમાં હોસ્પિટલમા વાયરલ બિમારીઓના લક્ષણ ધરાવતા દર્દીઓની સંખ્યા ખૂબ વધુ છે. મચ્છર લગતા રોગચાળાને લઈને આરોગે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે, વધુમાં આ રોગચાળો વધારે ણ વકરે તે માટે થઈને તંત્ર દ્વારા જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા છે.
