ભારતીય ક્રિકેટ ટીમમાં પસંદગીને લઈને ફરી એકવાર મોટો વિવાદ શરૂ થયો છે. અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ ગઈ છે. આ ટીમમાં યુવા ઓપનર યશસ્વી જાયસ્વાલને સ્થાન મળ્યું નથી. આ નિર્ણયથી પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકર ભારે ગુસ્સે ભરાયા છે. તેમણે ચીફ સિલેક્ટર અજીત અગરકરને આકરી ફટકાર લગાવી છે.
યશસ્વી જાયસ્વાલની અવગણનાથી માંજરેકર નારાજ
આઈપીએલ (IPL 2026) પૂરી થયા પછી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વનડે સિરીઝ રમાવાની છે. આ સિરીઝમાં શાનદાર ફોર્મમાં હોવા છતાં યશસ્વી જાયસ્વાલને વનડે ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. સંજય માંજરેકરે આ અંગે પસંદગી સમિતિ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, પસંદગીકારોએ જાયસ્વાલને ફોન કરીને માફી માંગવી જોઈએ. કારણ કે તે એક યુવા અને ભવિષ્યનો સ્ટાર ખેલાડી છે.
રોહિત શર્માની પસંદગી પર મોટો પ્રશ્નાર્થ
માંજરેકરે કેપ્ટન રોહિત શર્માની ફિટનેસ અને ફોર્મ પર પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, રોહિત શર્મા અત્યારે સારા ફોર્મમાં નથી. વળી તેમની ફિટનેસ પણ ચિંતાનો વિષય છે. આમ છતાં યુવા ખેલાડીઓના ભોગે રોહિતને ટીમમાં કેમ રાખવામાં આવ્યા? માંજરેકરના મતે, સાઈ સુદર્શન અને જાયસ્વાલ જેવા ખેલાડીઓ સતત રન બનાવી રહ્યા છે. જાયસ્વાલે પોતાની છેલ્લી વનડે ઇનિંગ્સમાં અણનમ 116 રન કર્યા હતા. આવા ફોર્મમાં રહેલા ખેલાડીને બહાર રાખવા પાછળ કોઈ તર્ક નથી.
અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઈસ કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ ક્રિષ્ણા, પ્રિન્સ યાદવ, ગુરનૂર બ્રાર અને હર્ષ દુબે.
