Gujarat Plus
Breaking News
આંતરરાષ્ટ્રીયતાજા સમાચાર

પાકિસ્તાન : રાષ્ટ્રપતિ ઝરદારીએ ભારત વિશે કહી દીધી આવી વાત, જાણો અસલી સત્ય

પાકિસ્તાન : રાષ્ટ્રપતિ ઝરદારીએ ભારત વિશે કહી દીધી આવી વાત, જાણો અસલી સત્ય

પાકિસ્તાન ફરી એકવાર દુનિયા સામે ઉઘાડું પડ્યું છે. ભારત વિરુદ્ધ જૂઠ્ઠાણું ફેલાવવાની તેની આદત ફરી સામે આવી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ ભારતને લઈને એક હાસ્યાસ્પદ દાવો કર્યો છે.

ઝરદારીના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર તેમની ભારે મજાક ઉડી રહી છે. પાકિસ્તાન પોતાની સૈન્ય નિષ્ફળતા છુપાવવા માટે આવા ખોટા દાવા કરી રહ્યું છે.

આસિફ અલી ઝરદારીએ શું દાવો કર્યો?

એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાની રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી એ મોટી-મોટી વાતો કરી હતી. તેમણે દાવો કર્યો કે ‘ઓપરેશન સિંદૂર’ દરમિયાન પાકિસ્તાને ભારતના 8 વિમાન તોડી પાડ્યા હતા. આટલું જ નહીં, તેમણે એવો પણ દાવો કર્યો કે પાકિસ્તાને ભારતના વડાપ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાડ્યા હતા.

ઝરદારીની આ મનઘડંત વાર્તાઓ માત્ર પોતાની હાર છુપાવવાનો એક સસ્તો પ્રયાસ છે. આનાથી પાકિસ્તાનનો અસલી ચહેરો ફરી એકવાર દુનિયા સામે આવી ગયો છે.

શું છે અસલી સત્ય? (Real Facts)

આસિફ અલી ઝરદારી ભલે અત્યારે મોટી વાતો કરી રહ્યા હોય, પણ અસલી હકીકત કંઈક અલગ જ છે:

  • ભારતીય સેનાનો જોરદાર હુમલો: ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાની એરસ્પેસને ધ્વસ્ત કરી દીધી હતી. ભારતે પાકિસ્તાનના 9 આતંકી ઠેકાણા અને નૂર ખાન એરબેઝ સહિત કુલ 11 સૈન્ય ઠેકાણાઓ પર જોરદાર હુમલો કર્યો હતો.

  • બંકરમાં છુપાયા હતા પાકિસ્તાની અધિકારીઓ: ભારતે જ્યારે 36 કલાકમાં 80 ડ્રોન છોડ્યા, ત્યારે પાકિસ્તાનના સૈન્ય સચિવ ખુદ જીવ બચાવવા બંકરમાં છુપાવાની વિનંતી કરી રહ્યા હતા.

  • પુરાવાના નામે શૂન્ય: પાકિસ્તાન જે હુમલાનો દાવો કરે છે, તેનો કોઈ કાટમાળ કે પુરાવો મળ્યો નથી. જ્યારે ન્યૂઝ એજન્સી CNN દ્વારા પાકિસ્તાનના ખ્વાજા આસિફ પાસે આ હુમલાના પુરાવા માંગવામાં આવ્યા, ત્યારે તેમણે શરમજનક રીતે કહ્યું કે, “આ બધું ભારતીય સોશિયલ મીડિયા પર હાજર છે.”

  • પોતે બંકરમાં હતા અને હવે મોટી વાતો: અહેવાલો મુજબ, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે આ સંઘર્ષ ચાલી રહ્યો હતો, ત્યારે રાષ્ટ્રપતિ ઝરદારી પોતે બંકરમાં છુપાયેલા હતા. હવે આ ઘટનાને એક વર્ષ વીતી ગયું છે, ત્યારે તેઓ ભારત સામે ખોટી પિપૂડી વગાડી રહ્યા છે.

સંબંધિત પોસ્ટ્સ

ચાર મહિના પહેલાં માતા અને હવે દીકરો મૃત્યુ પામ્યો’, એ ગુજરાતી યુવાનના નાવિક પરિવારની વ્યથા જેનો અમેરિકા-ઈરાન યુદ્ધમાં જીવ ગયો

Maheriya Nirali

ઈરાનથી નીકળી જવા ભારતે પોતાના નાગરિકોને કરી અપીલ

aminparmar

ODI World Cup 2027 માં 8 ટીમની એન્ટ્રી પાકી, બે વારની ચેમ્પિયન ટીમ પર બહાર થવાનું જોખમ!

praxpatel