મુંબઈ: IPL 2026 ની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ પોતાની અંગત લાઈફને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. અત્યાર સુધી ફેન્સે હાર્દિકનો ગ્લેમરસ અંદાજ જોયો છે, પરંતુ આ વખતે તેણે પોતાની ધાર્મિક અને ભક્તિમય બાજુ વિશે દિલ ખોલીને વાત કરી છે.
હાર્દિક પંડ્યા છે ‘હનુમાન ભક્ત’
તાજેતરમાં મુંબઈ ઈન્ડિયન્સના એક ઈવેન્ટમાં હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે તે ભગવાન હનુમાનના મોટા ભક્ત છે. હાર્દિકે ખુલાસો કર્યો કે તે દરરોજ હનુમાન ચાલીસા સાંભળે છે. તેણે કહ્યું કે, “હનુમાન ચાલીસા સાંભળવાથી જે સકારાત્મક ઉર્જા મળે છે, તેની સરખામણી અન્ય કોઈ સાથે થઈ શકે નહીં.”
નવી ફરારીમાં પણ ગુંજે છે હનુમાન ચાલીસા
હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ એક મોંઘી ફરારી (Ferrari) કાર ખરીદી છે, જેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. હાર્દિકે આશ્ચર્યજનક વાત કરતા જણાવ્યું કે, તે પોતાની લક્ઝુરિયસ ફરારીમાં પણ હનુમાન ચાલીસા સાંભળવાનું પસંદ કરે છે. તેના મતે, જે એનર્જી આ ભક્તિ ગીતમાં છે, તે બીજા કોઈ પણ ગીતમાં નથી.
IPL 2026 માં મુંબઈ ઈન્ડિયન્સ
ગયા વર્ષે એટલે કે IPL 2025 માં હાર્દિકની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફમાં ક્વોલિફાય કર્યું હતું. જોકે, ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ સામે હાર મળતા ટીમ બહાર થઈ ગઈ હતી. આ વખતે હાર્દિક પાસે રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ જેવા સ્ટાર ખેલાડીઓ છે, જેના જોરે ટીમ ફરી ટ્રોફી જીતવા મેદાને ઉતરશે.
