Gujarat Plus
Breaking News
ગુજરાતતાજા સમાચાર

ગુજરાત હાઈકોર્ટ નો ઐતિહાસિક ચુકાદો: ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે, અકસ્માત મામલે વળતર મળશે

ગુજરાત હાઈકોર્ટ નો ઐતિહાસિક ચુકાદો: ઘરથી ઓફિસ સુધીનો રસ્તો પણ હવે ‘ઓન ડ્યુટી’ ગણાશે, અકસ્માત મામલે વળતર મળશે

ગુજરાત હાઈકોર્ટ એ  કામદારો અને કર્મચારીઓના હિતમાં એક અત્યંત મહત્વનો અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે ઠરાવ્યું છે કે જો કોઈ કર્મચારીનું ઓફિસ જતી વખતે કે ઘરે પરત ફરતી વખતે અકસ્માતમાં મૃત્યુ થાય, તો તેને ‘ચાલુ ફરજ’ દરમિયાન થયેલું મૃત્યુ ગણવામાં આવશે. આ ચુકાદો કર્મચારીઓના પરિવારજનોને વળતર મેળવવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે.

શું છે હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય?

જસ્ટિસ જે.સી. દોશીએ ‘નેશનલ એક્સ્ટેન્શન ઓફ એમ્પ્લોયમેન્ટ’ (રોજગારના સૈદ્ધાંતિક વિસ્તરણ)ના સિદ્ધાંતને આધારે આ આદેશ આપ્યો છે. કોર્ટના મુખ્ય અવલોકનો નીચે મુજબ છે:

  • ઓન ડ્યુટી ગણાશે: નોકરીના સ્થળે પહોંચતા પહેલા કે કામ પૂરું કરીને ઘરે પરત ફરતી વખતે થતો અકસ્માત ‘ઓન ડ્યુટી’ ગણાશે.

  • રોજગારનો ભાગ: નોકરીએ જવા અને આવવા વચ્ચેનો સમય પણ રોજગારનો જ એક ભાગ છે.

  • વળતરનો હક: આવા કિસ્સામાં મૃતકના પરિવારજનો ‘કર્મચારી વળતર અધિનિયમ’ હેઠળ વળતર મેળવવા હકદાર છે.

સુરતના 24 વર્ષ જૂના કેસમાં ન્યાય મળ્યો

આ ચુકાદો સુરતના એક ડિલિવરી ક્લાર્ક વિજયકુમાર વાંકાલાના કેસમાં આવ્યો છે.

  1. ઘટના: 3 મે 2002ના રોજ વિજયકુમાર નોકરી પૂરી કરીને ઘરે જતા હતા ત્યારે ટેમ્પોની ટક્કરે તેમનું મોત થયું હતું.

  2. વર્કમેન કમિશનરનો આદેશ: વર્ષ 2006માં વીમા કંપનીને વ્યાજ અને પેનલ્ટી સાથે વળતર ચૂકવવા આદેશ કરાયો હતો.

  3. હાઈકોર્ટમાં અપીલ: વીમા કંપનીએ આ આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો હતો, એવી દલીલ સાથે કે અકસ્માત સમયે કર્મચારી ફરજ પર ન હતો.

વીમા કંપનીની દલીલો ફગાવી દેવાઈ

વીમા કંપનીએ એવી દલીલ કરી હતી કે કર્મચારી ઓફિસની બહાર હતો તેથી કંપની જવાબદાર નથી. જોકે, હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટના જૂના ચુકાદાઓને ટાંકીને આ દલીલ ફગાવી દીધી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કર્મચારી કામ માટે જ ઘરની બહાર નીકળે છે અને કામ પૂરું કરીને ઘરે જાય છે, તેથી તે સમયગાળો રોજગારથી અલગ ન પાડી શકાય.

કર્મચારીઓ માટે રાહતના સમાચાર

આ ચુકાદાથી હવે હજારો કામદારોના અધિકારો સુરક્ષિત થયા છે. જો ભવિષ્યમાં કોઈ કર્મચારી સાથે આવી દુખદ ઘટના બને, તો કંપની કે વીમા કંપની ‘ઓફિસની બહાર’ હોવાનું બહાનું બતાવીને વળતર આપવાનો ઇનકાર નહીં કરી શકે.

સંબંધિત પોસ્ટ્સ

આતંકવાદીઓ પણ નીકળ્યા વંશવાદી! હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સંભાળશે લશ્કરની કમાન, બાપ બન્યો માર્ગદર્શક

praxpatel

ભારતીય સેનાના બે જવાનોએ રચ્યો ઇતિહાસ: વર્લ્ડ રોઇંગ કપમાં પહેલીવાર જીત્યો ગોલ્ડ મેડલ

praxpatel

IND vs SA: ડરબનની પીચ પર કોણ પડશે ભારે? ટીમ ઈન્ડિયા માટે ‘કરો અથવા મરો’ જેવો જંગ, જાણો પીચ રિપોર્ટ

praxpatel